News Updates
SURAT

આપઘાત પહેલાં વીડિયો બનાવ્યો:સુરતમાં પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સાસરિયાંએ ત્રાસ આપતાં પગલું ભર્યું, છેલ્લા વીડિયોમાં પતિને જવાબદાર ઠેરવ્યો

Spread the love

સુરતના ઈચ્છાપોર ગામ સ્થિત જયરાજ સોસાયટીમાં રહેતી પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાતને પગલે પિયર પક્ષ દ્વારા તેને સાસરિયાં દ્વારા માનસિક-શારીરિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી પતિ સહિત ચાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આપઘાત પહેલાંનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પરિણીતા તેના આપઘાત માટે પતિને કસૂરવાર જણાવ્યો હતો.

પરિણીતાએ ગળે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો
મૂળ બિહારના મધુબની જિલ્લાની વતની અને હાલ ઈચ્છાપોર ગામ સ્થિત જયરાજ સોસાયટીમાં રહેતી 29 વર્ષીય નીતુબેન દીપકભાઈ ચૌધરી આઇટી કંપનીમાં નોકરી કરી પતિ અને એક પુત્ર સહિતના પરિવારને આર્થિક મદદ કરતી હતી. નીતુબેનનો પતિ દીપક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. આ દરમિયાન નીતુબેને સોમવારે રાતે પોતાના ઘરે હૂક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.

નાની-નાની બાબતે માનસિક ત્રાસ આપતા
આ બનાવને પગલે ઈચ્છાપોર પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતક નીતુબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. વધુમાં આ મામલે મૃતક નીતુબેનના ભાઈ રોશન ચૌધરીએ જણાવ્યું હતું કે બહેનના લગ્ન 6 વર્ષ પહેલાં સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડા સમયમાં જ પતિ દીપક, સસરા, સાસુ, દિયર, નણંદ, નણદોઈ સહિતનાં સાસરિયાંવાળાં દ્વારા નાની-નાની બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

પિતાએ માતાને મોતને ઘાટ ઉતારી
તેણે વધુમાં જણાવ્યું હતું કે મૃતક નીતુના દીકરાએ જણાવ્યું હતું કે પિતા સાથે પહેલા મેગી ખાધી હતી. ત્યાર બાદ માતાને લઈને પિતા ઉપરના માળે ગયા હતા. જ્યાં ગળું દબાવી માતાને મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ સાડીથી લટકાવી દીધી હતી. પછી અંદરથી દરવાજો બંધ કરી બારીમાંથી પિતા બહાર નીકળી ગયા હતા.

પતિની ધરપકડ કરવામાં આવી
પરિવારના આક્ષેપ આધારે પોલીસ આ મામલો ગંભીરતાથી લઈને કાર્યવાહી કરી છે. આપઘાત કરનાર પરિણીતાના પતિ, સસરા, સાસુ સહિત ચાર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પરિણીતાના પતિની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.


Spread the love

Related posts

19 વર્ષ બાદ પિતાનું દીકરી સાથે પુનર્મિલન રાંદેર પોલીસના પ્રયાસથી:છ માસની દીકરી અને પત્નીને એકલા મૂકીને યુવત જતો રહ્યો હતો,પારિવારિક ઝઘડાના કારણે 2004માં

Team News Updates

SURAT:મંદીના વાદળો ઘેરાયા હીરા ઉદ્યોગ પર: ઉદ્યોગકારે કહ્યું- ‘કારીગરોના ઘર ચાલે તે માટે કારખાના ચલાવીએ છીએ’,સ્થિતિ ન બદલાય તો દિવાળી સુધી કારખાના ચલાવવા મુશ્કેલ

Team News Updates

12 માળનું બનશે ગુજરાતમાં પહેલીવાર પોલીસ ભવન:CMએ ઇ-ખાતમુહૂર્ત કર્યું, ટ્રાફિક, સાયબર અને ઇકોનોમિક સેલ એક જ બિલ્ડિંગમાં હશે,સુરતમાં 36 કરોડના ખર્ચે તૈયાર થશે

Team News Updates