News Updates
NATIONAL

12 દેશની વાયુસેના ભારત આવશે, ભારતીય વાયુસેના સાથે કરશે સંયુક્ત અભ્યાસ

Spread the love

એવું માનવામાં આવે છે કે આ કવાયત વેસ્ટર્ન એર કમાન્ડમાં થઈ શકે છે. તેમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટન, જાપાન જેવા દેશોની વાયુસેના ભાગ લે તેવી શક્યતા છે. આ અભ્યાસમાં 6 વાયુસેના સક્રિયપણે ભાગ લેશે. બાકીના 6 નિરીક્ષક તરીકે આવશે.

આ વર્ષે ઓક્ટોબરમાં મોટા પાયે બહુપક્ષીય કવાયત હાથ ધરવાની તૈયારી કરી રહી છે. તેનો હેતુ 12 દેશો સાથે સૈન્ય સહયોગ વધારવાનો છે. આ અભ્યાસને ‘તરંગ શક્તિ’ નામ આપવામાં આવ્યું છે. ભારતમાં આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી હવાઈ કવાયત હોવાનો અંદાજ છે. આ અભ્યાસમાં વિવિધ દેશોના ફાઈટર એરક્રાફ્ટ અને તેમની વાયુ સેનાની ભાગીદારી પણ સામેલ છે.

ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટન, જાપાનની વાયુસેના ભાગ લેશે

અભ્યાસનું સ્થાન હજુ જાહેર કરવામાં આવ્યું નથી. એવું માનવામાં આવે છે કે આ કવાયત વેસ્ટર્ન એર કમાન્ડમાં થઈ શકે છે. તેમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટન, જાપાન જેવા દેશોની વાયુસેના ભાગ લે તેવી શક્યતા છે. આ અભ્યાસમાં 6 વાયુસેના સક્રિયપણે ભાગ લેશે. બાકીના 6 નિરીક્ષક તરીકે આવશે. આ કવાયત માટે ઘણી વધુ મંજૂરીઓ સંરક્ષણ મંત્રાલયમાં પેન્ડિંગ છે, પરંતુ અભ્યાસ માટે મંજૂરી મળી ગઈ છે.

એક સાથે ઓપરેશન હાથ ધરવાની પ્રેક્ટિસ કરશે

ઉપરોક્ત જણાવ્યા મૂજબના દેશોની વાયુસેના ભારતમાં આવશે અને આપણી વાયુસેના પાસેથી શીખશે. જેમાં ઉત્તરીય સરહદની ઊંચી ટેકરીઓથી લઈને લાંબી દરિયાઈ સરહદોની દેખરેખ માટે તેઓ એક સાથે ઓપરેશન હાથ ધરવાની પ્રેક્ટિસ પણ કરશે. આ અભ્યાસ વાયુ સેના વચ્ચે સહયોગ, પરસ્પર સમજણ અને સુસંગતતા, પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ કવાયતની યજમાની કરવી ભારત માટે ગર્વની વાત છે. આ અભ્યાસ દ્વારા ભારત પ્રાદેશિક સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અને મોટા પાયે સંયુક્ત સૈન્ય અભિયાન ચલાવવાની તેની ક્ષમતા પણ દર્શાવવા માંગે છે.

ઈન્ડો-યુએસ એરફોર્સે કવાયત કરી હતી

કવાયતનો ઉદ્દેશ્ય મોટી આફતોમાં સાથે મળીને કામ કરવાનો અને સહકારને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલા ભારતીય વાયુસેનાએ ફ્રાન્સમાં ORION અને ગ્રીસમાં INIOCHOS માં ભાગ લીધો હતો. આ કવાયત આ વર્ષે જ થઈ છે. એપ્રિલમાં ભારતીય વાયુસેના અને US એરફોર્સે કલાઈકુંડા, પાનાગઢ અને આગ્રા બેઝ પર કોપ ઈન્ડિયા-2023માં સંયુક્ત કવાયતમાં ભાગ લીધો હતો.


Spread the love

Related posts

યમુનાનાં પાણી દિલ્હીમાં ફરી વળ્યાં:હરિયાણાના 13 જિલ્લામાં પણ પાણી ઘૂસ્યાં; CM કેજરીવાલના ઘર સુધી પાણી પહોંચ્યું; ઈમરજન્સી મિટિંગ બોલાવાઈ

Team News Updates

વૈશાખી પૂનમ:યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ડાકોરના ઠાકોરને કેરીનો રસ અને દૂધભાત ધરાવાયા

Team News Updates

કેરળમાં ટૂરિસ્ટ બોટ પલટી, 21નાં મોત:મલપ્પુરમમાં દુર્ઘટના, મૃતકોમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ; રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Team News Updates