News Updates
NATIONAL

સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે કોર્ટને પોસ્ટ ઓફિસ બનાવી દીધી છે:વકીલે પોતાના જિલ્લામાં વંદે ભારતનું સ્ટોપ બનાવવાની માંગ કરી હતી

Spread the love

કેરળના વકીલ પીટી શીજીશે સુપ્રીમ કોર્ટમાં તિરુવનંતપુરમ-કસરાગોડ વંદે ભારતને તેમના જિલ્લામાં સ્ટોપ બનાવવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. અરજી ફગાવી દેતાં કોર્ટે કહ્યું- તમે લોકોએ કોર્ટને પોસ્ટ ઓફિસ બનાવી દીધી છે.

તમે ઇચ્છો છો કે કોર્ટ નક્કી કરે કે ટ્રેન ક્યાં રોકવી જોઈએ? હવે અમે દિલ્હીથી મુંબઈ રાજધાની સુધીના સ્ટેશનો અંગે પણ નિર્ણય લઈશું? આ નીતિ વિષયક બાબત છે, અમે આ મામલે સુનાવણી કરીશુ નહીં. આ ટિપ્પણી CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કરી હતી.

આ પહેલા કેરળ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી
વકીલે અગાઉ પણ કેરળ હાઈકોર્ટમાં અરજી કરીને આ જ માંગણી કરી હતી. તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જસ્ટિસ બેચુ કુરિયન થોમસ અને જસ્ટિસ સી જયચંદ્રનની ખંડપીઠે કહ્યું હતું કે – ટ્રેન ક્યાં થોભશે અને કયા સ્ટેશન પર હોવી જોઈએ, તે બાબતે રેલવે વિભાગ નક્કી કરે છે. કોઈને પણ આ રીતે આવી જગ્યાએ સ્ટેશન બનાવવાની માંગ કરવાનો અધિકાર નથી.

ત્યારબાદ અરજદારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અરજદાર પીટી શીજીશને ઠપકો આપતા CJIએ કહ્યું- અમે આ અંગે નિર્ણય લઈ શકતા નથી, આ માટે સત્તામાં બેઠેલા અધિકારીઓ પાસે જાઓ.

આ મામલે અરજદારે દલીલ કરી- જો કોર્ટ નિર્ણય ન લઈ શકે, તો તે સરકારને ઓછામાં ઓછા આ અંગે નિર્દેશ તો આપી જ શકે છે. તેના જવાબમાં ખંડપીઠે કહ્યું કે જો અમે સરકારને કોઈ નિર્દેશ આપીશું તો અમે મામલાની સુનાવણી કરી છે તે માનવામાં આવશે. માફ કરશો ડિસ્મિસ્ડ.

વકીલે અરજીમાં શું કહ્યું
અરજીકર્તાનો દાવો છે કે શરૂઆતમાં રેલવેએ તિરુર રેલવે સ્ટેશનને વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપ તરીકે જાહેર કર્યું હતું. બાદમાં રાજકીય કારણોસર નિર્ણય બદલવામાં આવ્યો અને પલક્કડ જિલ્લાના શોરનુર ખાતે વંદે ભારત સ્ટેશન બનાવવામાં આવ્યું.

અરજીકર્તા જણાવે છે કે આ સ્ટેશન તિરુરથી લગભગ 56 કિલોમીટર દુર છે. તિરુરમાં વંદે ભારત સ્ટેશન ન હોવું એ મલપ્પુરમના લોકો સાથે અન્યાય છે. મેં જાહેર હિતમાં આ અરજી કરી હતી.

PMએ 24 એપ્રિલે વંદે ભારતને લીલી ઝંડી બતાવી હતી
વંદે ભારત સ્ટોપ કે અરજદાર તિરુરમાં બનાવવાની માંગ કરી રહ્યા છે તેને 24 એપ્રિલ 2023 ના રોજ પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, ત્રિશુર, પલક્કડ, પઠાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ જેવા 11 જિલ્લાઓને આવરી રહી છે.


Spread the love

Related posts

300 યુનીટ સુધી મફત વીજળી લેવી છે ? સરકારની નવી મફત વીજળી યોજના માટે આ રીતે કરો અરજી

Team News Updates

ઢોરના ડબ્બામાં 35 દિવસમાં 89 ગાયનાં મોત:જામનગર મનપાના વિપક્ષી નેતાએ સરપ્રાઇઝ વિઝિટ કરી કહ્યું- ‘આ ઢોરનો નહીં, મોતનો ડબ્બો છે’

Team News Updates

શ્રી કૃષ્ણએ ઉદ્ધવને આપી શિખામણ:આરોગ્ય, શિક્ષણ અને પૈસા સંબંધિત કાર્યો કરવામાં મોડું ન કરો, સમય મળે એટલે તુરંત જ કરો

Team News Updates