News Updates
NATIONAL

નૂહમાં રસ્તાઓ પર ભડકે બળતી ગાડીઓ, તૂટેલી કારમાં લટકતી વર્દી; તોફાનીઓએ પોલીસ સ્ટેશન પણ ફુંકી માર્યું

Spread the love

હરિયાણાના નૂહમાં બ્રજ મંડળની યાત્રા દરમિયાન હિંસા બાદ તણાવભરી સ્થિતિ છે. ગુરુગ્રામના સોહના અને ફરીદાબાદ સહિત ઘણા વિસ્તારોમાં સ્થિતિ વણસી ગઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અર્ધલશ્કરી દળોની 13 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. વધુ 6 કંપનીઓને બોલાવવામાં આવી છે.

હિંસાને કારણે નૂહમાં ઠેર-ઠેર બરબાદીના નિશાન દેખાઈ રહ્યા છે. રસ્તાઓ પર અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે. કેટલાકના કાચ તૂટેલા છે. બદમાશોએ સાયબર પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી ચાંપી દીધી હતી. હિંસામાં બે હોમગાર્ડ જવાનો સહિત પાંચ લોકોના મોત થયા હતા. ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા અને કલમ-144 લાગુ કરવાની સાથે જિલ્લાની સરહદ સીલ કરી દેવામાં આવી છે.

હરિયાણાના નૂહમાં વિશ્વ હિંદુ પરિષદની બ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા અને હંગામા બાદ તણાવ છે. નૂહમાં બે દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સમગ્ર વિસ્તારમાં અર્ધલશ્કરી દળની 13 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ રાજસ્થાનના ભરતપુરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં પણ 4 વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

હરિયાણામાં નૂહ હિંસામાંથી બચી ગયેલા લોકોની વાર્તાઓ: ડ્રાઇવરે દોડાવી બસ, મંદિરમાં 7 કલાક રહ્યા

હરિયાણાના નૂહમાં હિંસામાં ફસાયેલા લોકો સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી ગયા છે. નૂહમાં, હિસાર, ભિવાની, કરનાલ, ફતેહાબાદ, અંબાલા, પાણીપત સહિત ઘણી જગ્યાએથી લોકો બ્રજ મંડળ યાત્રામાં ભાગ લેવા ગયા હતા. અચાનક હિંસાને કારણે કેટલાક લોકો ફસાઈ ગયા હતા અને કેટલાક જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા. ભાસ્કરે હિંસામાંથી બચી ગયેલા લોકો સાથે વાત કરી હતી.

VHPનો દાવો- નૂહ હિંસા પૂર્વ આયોજિતઃ મહાસચિવે કહ્યું- પહેલેથી જ ટ્રકમાં પથ્થરો ભરીને રાખવામાં આવ્યા હતા

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ સોમવારે હરિયાણાના નૂહમાં બ્રજમંડલ યાત્રા દરમિયાન થયેલી હિંસાને પૂર્વ આયોજિત ગણાવી છે. યાત્રામાં જોડાવા માટે ખાસ આવેલા VHPના સંયુક્ત મહાસચિવ ડો.સુરેન્દ્ર જૈને દાવો કર્યો હતો કે યાત્રાના રૂટ પર પહેલાથી જ ટ્રકોમાં પથ્થરો રાખવામાં આવ્યા હતા. ટોળાએ વાહનોને આગ લગાડવા અગાઉથી તૈયાર કરાયેલા પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કર્યો હતો.


Spread the love

Related posts

કોંગ્રેસ અને AAPને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો, 300થી વધારે કાર્યકરો જોડાયા ભાજપમાં

Team News Updates

VIP દર્શન બંધ કરાવવા દુકાનો બંધ રખાઈ,બદ્રીનાથમાં અવ્યવસ્થાને લઈને યાત્રિકો-સ્થાનિકોએ મચાવ્યો હોબાળો

Team News Updates

પવિત્ર ગંગા જળ પર 18 % GST લગાવીને ભાજપ ભક્તોની ભાવના સાથે રમે છે, કોંગ્રેસે કર્યા પ્રહાર

Team News Updates