News Updates
VADODARA

શિનોરમાંથી પસાર થતી નર્મદા નિગમની અમરેશ્વર બ્રાંચ કેનાલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય

Spread the love

વડોદરાના શિનોરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગંદકીનુ સામ્રાજ્ય જામ્યુ છે. અમરેશ્વર કેનાલ ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે. કેનાલમાં અનેક ઠેકાણે ગાબડા પડ્યા છે. ખેતરોમાં પણ ખેડૂતોને સિંચાઈ માટે ખેતરમાં ગંદકી સાથેનુ પાણી સ્વિકારવુ પડી રહ્યુ છે. કેનાલનુ ગંદકી સાથેનુ પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચતુ હોવાને લઈ રોષ ફેલાયો છે.

વડોદરાના શિનોરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગંદકીનુ સામ્રાજ્ય જામ્યુ છે. અમરેશ્વર કેનાલ ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે. કેનાલમાં અનેક ઠેકાણે ગાબડા પડ્યા છે. ખેતરોમાં પણ ખેડૂતોને સિંચાઈ માટે ખેતરમાં ગંદકી સાથેનુ પાણી સ્વિકારવુ પડી રહ્યુ છે. કેનાલનુ ગંદકી સાથેનુ પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચતુ હોવાને લઈ રોષ ફેલાયો છે. કેનાલમાં અનેક જગ્યાએ ઝાડ પણ પડેલલા જોવા મળે છે, તો અનેક ઠેકાણે વૃક્ષો ઉગી નિકળ્યા છે.

ખેડૂતોએ હવે કેનાલને સાફ કરવા અને તેનુ સમારકામ કરવાની માંગ કરી છે. સ્થાનિક અગ્રણી ખેડૂતોનુ કહેવુ છે કે, ખેતરમાં ગંદુ પાણી આવી રહ્યુ છે. આમ ગંદા પાણીને બદલે સ્વચ્છ પાણી કેનાલથી મળે એ માટે થઈને કેનાલને સાફ સફાઈ કરવાની માંગ વર્તાઈ રહી છે. નર્મદા નિગમના અધિકારીઓને આ માટે રજૂઆત પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.


Spread the love

Related posts

એક પૈડાની સાઇકલ પર રચશે 8મો વિશ્વ રેકોર્ડ:વડોદરાના 20 વર્ષીય યુવાને 7 કિ.મી. સવારી કરીને શિવજીનું ચિત્ર કંડાર્યું, 7 વિશ્વ રેકોર્ડ નામે કર્યા

Team News Updates

આર્થિકભીંસથી પરિવાર વેરવિખેર થયો:વડોદરામાં પત્ની-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા, પતિએ ઝેરી દવા પી ગળામાં બ્લેડના ઘા માર્યા, સુસાઈડ નોટમાં મકાન આજે ખાલી કરવાનું દબાણ હોવાનો ઉલ્લેખ

Team News Updates

ચારિત્ર્ય પર શંકા કરી પત્નીના ગળે છરી હુલાવી:વડોદરામાં પિયર ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ઘરમાં ખેંચી લઈ જઈ પતિએ હુમલો કર્યો, બચવા માટે ઉપરના માળેથી કૂદકો માર્યો, લોહીલુહાણ

Team News Updates