News Updates
AHMEDABAD

ચણિયાચોળી પર ઉતર્યો નવરાત્રી અને વર્લ્ડ કપના રોમાંચનો રંગ, અમદાવાદના ડિઝાઈનરે તૈયાર કરી ‘વર્લ્ડકપ ચણિયાચોળી’

Spread the love

ODI વર્લ્ડ કપ 2023માં કોઈ ઓપનિંગ સેરેમની નહોતી, પરંતુ ભારત- પાકિસ્તાન મેચ (IND vs PAK) દરમિયાન એક ખાસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેચ જોવા બોલિવૂડ અને ક્રિકેટ જગતના દિગ્ગજ કલાકારો આવશે. આ પહેલા અમદાવાદના ડિઝાઇનરે વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરી છે.

ભારત-પાકિસ્તાન મેચને લઇ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદના ડિઝાઇનરે વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરી છે.

સફેદ ચણિયાચોળીમાં ભારતના તમામ ૧૫ ખેલાડીઓના સ્કેચ જોવા મળ્યા.

15 ખેલાડીઓ સાથે વર્લ્ડકપની ટ્રોફીનો સ્કેચ પણ ચણિયાચોળીમાં રખાયો. ભારતીય ક્રિકેટની બેકબોન વિરાટ કોહલીનો સ્કેચ બેકમાં રખાયો.

ડિઝાઇનરે 8 દિવસમાં 6 કારીગરો પાસેથી વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરાવી હતી.

નવરાત્રિ પૂર્વે મેચ હોવાથી ક્રિકેટ ટીમને ચણિયાચોલીમાં સ્થાન આપ્યું, ટીમ ઇન્ડિયાના બદલે ‘ટીમ ભારત’નું લખાણ પણ લખવામાં આવ્યું.


Spread the love

Related posts

વગર વરસાદે રોડ પાણીમાં:અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મીની ટેમ્પો ટ્રાવેલના પાછળનું ટાયર ભુવામાં ફસાયું, ક્રેનની મદદથી ગાડી બહાર કાઢવી પડી

Team News Updates

ટ્રાફિક-રખડતા ઢોરને લઈને કન્ટેમ્પ્ટ પિટિશનમાં કોર્ટની ટકોર, સરકારે કાગળિયા બધા ફાઈલ કર્યા પણ કોઈ એક્શન ગ્રાઉન્ડ પર લેવાયા નથી

Team News Updates

ગ્રાન્ટેડ સ્કૂલોએ સરકાર સામે બાંયો ચડાવી:6300 સ્કૂલમાં પડતર પ્રશ્નોને લઈને 50 હજારથી વધુ કર્મચારી આંદોલનના માર્ગે, મુખ્યમંત્રીને એક અઠવાડિયા સુધી લખશે પત્ર

Team News Updates