News Updates
GUJARAT

શરદ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ/ ગ્રહણને લઈ SHREE KHODALDHAM MANDIRમાં સાંજની આરતી બંધ રહેશે, ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે

Spread the love

શરદ પૂર્ણિમાએ તારીખ 28 ઓક્ટોબર ને શનિવારના રોજ ચંદ્રગ્રહણ

તારીખ 28 ઓક્ટોબર ને શનિવારના રોજ ચંદ્રગ્રહણને લઈને શ્રી ખોડલધામ મંદિરમાં ગ્રહણના વેધ સ્પર્શ થી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગીત રહેશે. તા.28 ઓકટોબરનું ચંદ્રગ્રહણ પાળવું શાસ્ત્રોક્ત રીતે આવશ્યક હોય, સ્થાનિક સમય પ્રમાણે નિચે મુજબ સમયે ગ્રહણનનો વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વગેરે થાય છે.

ચંદ્રગ્રહણને અનુલક્ષીને તા.28/10/2023ના રોજ શ્રી ખોડલધામ મંદિરમાં સવારની આરતી નિયમિત ચાલુ રહેશે. બપોરે 1 વાગ્યા ને 42 મિનિટ પછી દરેક પૂજા ક્રમ બંધ રહેશે. સાથે જ સાંજની આરતી, ધ્વજાપૂજા, યજ્ઞ સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. જો કે ભક્તો માટે આખો દિવસ દર્શન ખુલ્લા રહેશે. પરંતુ કોઈ ભક્તો માતાજીને કોઈપણ પ્રકારની પ્રસાદી ધરી શકશે નહીં.

તારીખ-28 તથા 29 /10/2023 ના ગ્રહણની વિગત
વિગતસમય
વેધ પ્રારંભબપોરે 1:42:44 (કલાક:મિનિટ:સેકન્ડ)
ગ્રહણ સ્પર્શરાત્રે 10:43:28 (કલાક:મિનિટ:સેકન્ડ)
ગ્રહણ મધ્યમધ્યરાત્રીના 12:57:00  (કલાક:મિનિટ:સેકન્ડ)
ગ્રહણ મોક્ષમધ્યરાત્રીના 03:08:03 (કલાક:મિનિટ:સેકન્ડ)

Spread the love

Related posts

ગૌતમ બુદ્ધની શિખામણ:જ્યારે તમારું મન વ્યગ્ર હોય ત્યારે કોઈ મોટો નિર્ણય ન લો, જો તમે ધીરજ રાખશો તો મોટી સમસ્યાઓનું નિરાકરણ આવશે

Team News Updates

18.40 લાખ પડાવી લીધાં આણંદની મહિલા પાસેથી;બેંગ્લોરના બે ગઠિયાઓએ યુકેના વર્ક પરમિટ વિઝા કરી આપવાની લાલચ આપી

Team News Updates

બદામ અને અખરોટ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

Team News Updates