News Updates
GUJARAT

શરદ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ/ ગ્રહણને લઈ SHREE KHODALDHAM MANDIRમાં સાંજની આરતી બંધ રહેશે, ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે

Spread the love

શરદ પૂર્ણિમાએ તારીખ 28 ઓક્ટોબર ને શનિવારના રોજ ચંદ્રગ્રહણ

તારીખ 28 ઓક્ટોબર ને શનિવારના રોજ ચંદ્રગ્રહણને લઈને શ્રી ખોડલધામ મંદિરમાં ગ્રહણના વેધ સ્પર્શ થી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગીત રહેશે. તા.28 ઓકટોબરનું ચંદ્રગ્રહણ પાળવું શાસ્ત્રોક્ત રીતે આવશ્યક હોય, સ્થાનિક સમય પ્રમાણે નિચે મુજબ સમયે ગ્રહણનનો વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વગેરે થાય છે.

ચંદ્રગ્રહણને અનુલક્ષીને તા.28/10/2023ના રોજ શ્રી ખોડલધામ મંદિરમાં સવારની આરતી નિયમિત ચાલુ રહેશે. બપોરે 1 વાગ્યા ને 42 મિનિટ પછી દરેક પૂજા ક્રમ બંધ રહેશે. સાથે જ સાંજની આરતી, ધ્વજાપૂજા, યજ્ઞ સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. જો કે ભક્તો માટે આખો દિવસ દર્શન ખુલ્લા રહેશે. પરંતુ કોઈ ભક્તો માતાજીને કોઈપણ પ્રકારની પ્રસાદી ધરી શકશે નહીં.

તારીખ-28 તથા 29 /10/2023 ના ગ્રહણની વિગત
વિગતસમય
વેધ પ્રારંભબપોરે 1:42:44 (કલાક:મિનિટ:સેકન્ડ)
ગ્રહણ સ્પર્શરાત્રે 10:43:28 (કલાક:મિનિટ:સેકન્ડ)
ગ્રહણ મધ્યમધ્યરાત્રીના 12:57:00  (કલાક:મિનિટ:સેકન્ડ)
ગ્રહણ મોક્ષમધ્યરાત્રીના 03:08:03 (કલાક:મિનિટ:સેકન્ડ)

Spread the love

Related posts

વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટીમે બહાર કાઢી કૂવામાં પડી ગયેલી નીલગાયને ગોધરા તાલુકાના જીતપુરા ગામે

Team News Updates

41.80 લાખની વીજચોરી ઝડપી પાડી જામનગર અને જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી

Team News Updates

ધો. 1ની વિદ્યાર્થિનીનો શાળામાંથી મૃતદેહ મળ્યો:શિક્ષકો તાળાં મારી ઘરે ચાલ્યા ગયા, પરિવારને લાશ મળી, પીએમ રિપોર્ટ બાદ SPએ કહ્યું- હત્યાનો ગુનો નોંધાશે

Team News Updates