News Updates
NATIONAL

દિલ્હીમાં 13 થી 20 નવેમ્બર સુધી ઓડ-ઈવન સિસ્ટમ લાગુ:કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ, તમામ શાળાઓ 10 નવેમ્બર સુધી બંધ; AQI 450ને પાર

Spread the love

રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે કેજરીવાલ સરકારે સોમવારે ફરી એકવાર ઓડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઓડ-ઇવન ફોર્મ્યુલા દિવાળીના બીજા દિવસે એટલે કે 13મીથી 20મી નવેમ્બર સુધીના એક સપ્તાહ માટે લાગુ રહેશે.

અગાઉ, સરકારે બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તમામ શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર એટલે કે સૌથી ખતરનાક બની ગઈ છે.

સોમવારે (6 નવેમ્બર) દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 470 નોંધાયો હતો. આ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની પ્રદૂષણ મર્યાદા કરતાં 20 ગણું વધુ છે. WHO અનુસાર, AQI 0 થી 50 વચ્ચે સુરક્ષિત માનવામાં આવે છે.

ગોપાલ રાયે કહ્યું- ફટાકડા પર પ્રતિબંધ
ખરાબ હવાની ગુણવત્તાને લઈને દિલ્હી સચિવાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય, શિક્ષણ મંત્રી આતિશી, આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને અન્ય વિભાગોના અધિકારીઓ હાજર હતા.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું, ‘દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ છે. આમ છતાં, છેલ્લી વખત આપણે જોયું કે ઘણી જગ્યાએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પોલીસની ટીમોને એલર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દિવાળી આવી રહી છે, ત્યારે વર્લ્ડ કપની મેચ છે અને છઠ્ઠ પણ આવી રહી છે. ખાસ કરીને હું ઉત્તર પ્રદેશ અને હરિયાણાની ભાજપ સરકારોને ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરું છું. જેથી પ્રદૂષણની સ્થિતિ વધુ વણસતી અટકાવી શકાય.

દિલ્હી AIIMSના મેડિસિન વિભાગના એડિશનલ પ્રોફેસર ડૉ. પીયૂષ રંજને જણાવ્યું હતું કે ખરાબ હવાની ગુણવત્તાને કારણે વિવિધ પ્રકારનાં કેન્સરનું જોખમ રહેલું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે વાયુ પ્રદૂષણ શ્વસનતંત્રને નુકસાન પહોંચાડે છે અને હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકને પ્રોત્સાહન આપે છે.

ખરાબ હવાની ગુણવત્તાને લઈને આજે દિલ્હીમાં એક હાઈ લેવલ મિટિંગ યોજાઈ હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દિલ્હીના મંત્રી ગોપાલ રાય, આતિશી, સૌરભ ભારદ્વાજ અને અન્ય વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા. આ મિટિંગમાં ઓફિસ કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

GRAP-IV શું છે?
GRAP-IV એ જગ્યાએ લાગુ કરવામાં આવે છે જ્યારે AQI છેલ્લા સ્ટેજ પર પહોંચે છે એટલે કે 450-500ની વચ્ચે. છેલ્લા 6 દિવસથી દિલ્હીમાં AQI 450થી ઉપર નોંધાઈ રહ્યો છે. દિલ્હીમાં GRAP-IVના અમલીકરણ સાથે, GRAP-I, II અને IIIના નિયમો પણ લાગુ રહેશે. આ અંતર્ગત નોન-જ્યુરી કન્સ્ટ્રક્શન વર્ક, BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલર પર પ્રતિબંધ છે.

આજે ઓફિસ કર્મચારીઓ ઘરેથી કામ કરવાની મંજૂરી મેળવી શકે છે ઝેરી હવા અંગે હવા ગુણવત્તા વ્યવસ્થાપન માટે કમિશન CAQM દિલ્હી-એનસીઆરની રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ 50% કર્મચારીઓને સરકારી અને ખાનગી ઓફિસોમાં બોલાવે. બાકીના 50% કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ પરવાનગી દિલ્હી સરકારની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આપવામાં આવી શકે છે.

દિલ્હીમાં 5મી સુધીની શાળાઓ 10મી નવેમ્બર સુધી બંધ
આ પહેલાં રવિવારે (5 નવેમ્બર) દિલ્હીમાં ધોરણ 5 સુધીની શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું છે કે વધતા પ્રદૂષણને જોતા તમામ શાળાઓ 6ઠ્ઠીથી 12મી સુધીના વર્ગો ઓનલાઈન ચલાવી શકે છે.

દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું
દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. સ્વિસ જૂથ IQAirના વર્લ્ડ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ત્રણ ભારતીય શહેરોનો સમાવેશ થાય છે. આમાં દિલ્હી ટોચ પર છે, જ્યારે કોલકાતા પાંચમા અને મુંબઈ છઠ્ઠા ક્રમે છે. બીજા નંબર પર પાકિસ્તાનનું લાહોર શહેર છે.

12 ફાયર ફાઇટરો વૃક્ષ પર પાણી છાંટે છે
અહીં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, ફાયર વિભાગની 12 ગાડીઓને રસ્તાની બાજુનાં વૃક્ષો પર પાણી છાંટવા માટે તહેનાત કરવામાં આવી છે. સવારથી સાંજ સુધી ફાયર ફાયટરો વધુ પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાં પાણીનો છંટકાવ કરી રહ્યાં છે. આ પહેલાં જલ બોર્ડ અને MCDનાં ટેન્કરો ઘાતક પ્રદૂષણ ઘટાડવાના કામમાં લાગેલાં હતાં.

દિલ્હીની હવા 25-30 સિગારેટના ધુમાડા જેટલી ઝેરી
હવાની ગુણવત્તા અંગે, મેદાંતા હોસ્પિટલ, ગુરુગ્રામના ડૉ. અરવિંદ કુમારે 4 નવેમ્બરે જણાવ્યું હતું કે 400-500 AQIવાળી હવા 25-30 સિગારેટના ધુમાડાની સમકક્ષ છે. તે તમામ વય જૂથોના લોકોને સમાન રીતે અસર કરે છે. દિલ્હીમાં પ્રદૂષણ પર એપોલો હોસ્પિટલના ડૉક્ટર નિખિલ મોદીએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.

દિલ્હી સરકારે કેન્દ્ર પાસેથી 5 રાજ્યો સાથે ઈમર્જન્સી મિટિંગની માગ કરી
અહીં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શનિવારે કેન્દ્રને પત્ર લખ્યો હતો. તેમણે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને પાંચ રાજ્યો (દિલ્હી, યુપી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા)ના પર્યાવરણ મંત્રીઓ સાથે ઈમર્જન્સી મિટિંગ યોજવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હીનાં પડોશી રાજ્યોમાં કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.


Spread the love

Related posts

બાળકોને કોઈપણ પ્રકારના રાજકીય પ્રચારથી દૂર રાખોઃ ચૂંટણી પંચ

Team News Updates

Nipah virusના કારણે કેરળમાં 2ના મોત ! જાણો કેટલો ઘાતક છે આ વાયરસ અને કેમ કેરળમાં જ વધે છે કેસ?

Team News Updates

2014માં જાહેરાત થઈ,  કેપિટલ બનાવવામાં 25,000 કરોડનો ખર્ચ,  સત્તાવાર રાજધાની બનશે 12 જૂનથી અમરાવતી આંધ્રની

Team News Updates