News Updates
INTERNATIONAL

ન્યૂયોર્ક ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સંધુ સાથે ખરાબ વર્તન:ખાલિસ્તાન સમર્થકોએ કહ્યું- તમે નિજ્જરને માર્યો, પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું

Spread the love

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ સાથે ખાલિસ્તાન સમર્થકોએ ગેરવર્તણૂક કરી હતી. વાસ્તવમાં, સંધુ સોમવારે ગુરુ પરબ (ગુરુ નાનક જયંતિ) ઉજવવા ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડ ગુરુદ્વારા પહોંચ્યા હતા. અહીં ખાલિસ્તાની સમર્થકોએ તેમના પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. એક ખાલિસ્તાની એવું કહેતા સાંભળવા મળે છે કે તમે પન્નુને મારવાનું કાવતરું ઘડ્યું હતું.

સંધુ સાથે ગેરવર્તનનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તરનજીત સિંહ સંધુ સમગ્ર ઘટના દરમિયાન સંપૂર્ણપણે મૌન જોવા મળે છે. જ્યારે ગુરુદ્વારામાં હાજર કેટલાક લોકો ખાલિસ્તાન સમર્થકોને પાછળ ધકેલતા જોવા મળે છે.

બહાર નીકળતી વખતે ખાલિસ્તાની ઝંડો બતાવ્યો
ગુરુદ્વારામાં ખાલિસ્તાનીઓએ ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે તરનજીત સિંહ સંધુ ગુરુદ્વારા છોડવા લાગ્યા ત્યારે એક પ્રદર્શનકારીએ ત્યાં ખાલિસ્તાની ઝંડો ફરકાવ્યો. સંધુએ એક ટ્વીટ કર્યું હતું. આમાં તેમણે ઘટનાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. તેમણે લખ્યું- લોંગ આઇલેન્ડમાં સ્થાનિક સંગતમાં ભાગ લેવો ખૂબ જ સરસ લાગ્યો. કીર્તન સાંભળ્યું અને ગુરુ નાનકના એકતા, સમાનતાના સંદેશ વિશે વાત કરી.

આ ઘટના ત્યારે બની જ્યારે તાજેતરના મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે અમેરિકામાં આતંકવાદી પન્નુને મારવાનું કાવતરું ઘડ્યું હતું, જેને ત્યાંના વહીવટીતંત્રે નિષ્ફળ બનાવ્યું હતું. હિમ્મત સિંહ નામના વ્યક્તિ પર ન્યૂયોર્કના ગુરુદ્વારામાં સંધુ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજવાનો આરોપ છે.


Spread the love

Related posts

ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલી ગુમ સબમરીન મળી આવી! પાણીની અંદરથી આવ્યો અવાજ

Team News Updates

ચંદ્રયાન-3ની સફળતા પર વિશ્વમાં ભારતનો જયઘોષ:બ્રિટને કહ્યું- ભારતે ઈતિહાસ રચ્યો છે; નાસાએ કહ્યું- મિશનના સહયોગી બનીને આનંદ થયો થઈ

Team News Updates

કતારે 8 પૂર્વ ભારતીય નૌસેનિકોને મૃત્યુદંડની સજા સંભળાવી:ભારત સરકારે કહ્યું- અમે નિર્ણયથી આશ્ચર્યચકિત, તેમને મુક્ત કરવા માટે કાયદાકીય માર્ગો શોધી રહ્યા છીએ

Team News Updates