News Updates
BUSINESS

ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 1 વર્ષમાં નાણાં થઈ જશે ડબલથી પણ વધારે, રોકાણકારોને મળશે 121 ટકા રિટર્ન

Spread the love

ઝેરોધા બ્રોકિંગ અને સ્મોલકેસ ટેક્નોલોજીસ વચ્ચેના સંયુક્ત સાહસ ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેનું પહેલું ફંડ, ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ અને ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું હતું.

આ બંને ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જેમાં મિનિમમ રોકાણની રકમ અનુક્રમે 100 અને 500 રૂપિયા હતી. આ સ્કીમનો NFOs 3 નવેમ્બરના રોજ બંધ થયો હતો. ELSS સ્કીમમાં 3 વર્ષનું ફરજિયાત લોક-ઈન રહેશે. નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સના 250 શેરો એ એવા શેરોનું સંયોજન છે જે નિફ્ટી 100 ઈન્ડેક્સ અને નિફ્ટી મિડકેપ 150 ઈન્ડેક્સનો ભાગ છે.

નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ, જે કુલ માર્કેટ કેપિટલાઇઝેશનના લગભગ 84 ટકાને આવરી લે છે, તેનો હેતુ NSE પર સૂચિબદ્ધ મોટી અને મિડકેપ કંપનીઓના પ્રદર્શનને પ્રતિબિંબિત કરવાનો છે, જેમાં દરેક સેગમેન્ટમાં 50 ટકા વેઈટેજ આપવામાં આવ્યું છે.

ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની બન્ને સ્કીમમાં રોકાણ કરવા માટે NFOs 3 નવેમ્બરના રોજ બંધ થયો હતો. એક મહિના બાદ રોકાણકારોને આ સ્કીમમાં 5.36 ટકા રિટર્ન મળ્યું છે. તેથી જે રોકાણકારોએ આ સ્કીમમાં 1 લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તેમના નાણાં 1,05,360 થયા છે, તે પણ માત્ર 1 મહિનામાં.

ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ અને ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડનો હાલ XIRR 121 ટકા છે. તેનો મતલબ એ છે કે ઈન્વેસ્ટર્સને 1 વર્ષમાં 121 ટકા રિટર્ન મળશે. તેથે જે રોકાણકારોએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તેમના નાણાં 1 વર્ષમાં 2,21,000 થઈ જશે.


Spread the love

Related posts

રિલાયન્સ ફાઉન્ડેશને 3000 એકરમાં વનતારા પ્રોગ્રામની શરૂઆતની જાહેરાત કરી છે, પ્રાણીઓની બચાવ અને પુનર્વસનની અનંત લેશે સંભાળ

Team News Updates

 મોબાઈલ રિચાર્જ 50થી 250 રૂપિયા મોંઘું થશે! ચૂંટણી પછી લાગશે આંચકો

Team News Updates

ગૌતમ અદાણીને લાગી લોટરી ! 21,580 કરોડ આવશે ખાતામાં ! મોટા સ્તરે ચાલી રહી છે ચર્ચા

Team News Updates