News Updates
NATIONAL

વસંતનાં વધામણા:મથુરાથી લઈ વૃંદાવન સુધી ઉત્સવનો ગુલાલ,વ્રજમાં 40 દિવસ સુધી ફાગણ મહોત્સવ

Spread the love

દેશભરમાં બુધવારે વસંતનાં વધામણાં સાથે વસંત પંચમીની ઉજવણી કરાઈ હતી. બીજી તરફ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં વસંત પંચમીના દિવસથી હોળીનો તહેવાર શરૂ થયો છે. બુધવારે વસંત પંચમીના દિવસે મથુરાથી વૃંદાવન સુધી ઉલ્લાસપૂર્વક ગુલાલ ઉડાવવામાં આવ્યો હતો.

આ ઉત્સવ 40 દિવસ સુધી ચાલશે. દર વર્ષે વસંત પંચમીના દિવસે બાંકે બિહારી મંદિરમાં ભક્તો ઠાકુરજી પર રંગબેરંગી અબીર-ગુલાલ ઉડાડે છે. વસંત પંચમીનો દિવસ વ્રજ માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા ઉપરાંત રાધા-કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે.

આ સાથે જ બાંકે બિહારી મંદિરમાં 40 દિવસનો હોળીનો તહેવાર પણ શરૂ થાય છે. આ પછી 20મી માર્ચે એકાદશીથી 24મી માર્ચ ફાલ્ગુન પૂર્ણિમા સુધી ભવ્ય ફાગણ મહોત્સવ ઉજવાય છે. 25મી માર્ચે ધુળેટીના દિવસે ડોલોત્સવ થશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો રંગની પ્રેમવર્ષામાં ભીંજાશે.


Spread the love

Related posts

24 વર્ષનો રેકોર્ડ હેમંત સોરેને તોડયો,આ 5 કારણોથી ભાજપ પાછળ રહી ગઈ

Team News Updates

એરફોર્સમાં 12 નવા સર્વેલન્સ એરક્રાફ્ટનો સમાવેશ થશે:રડાર કવરેજ 300 ડિગ્રી સુધી હશે; બોર્ડર પર દેખરેખ વધારવાનો રક્ષા મંત્રાલયનો નિર્ણય

Team News Updates

બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરતા ભારતીય નાગરિકત્વનું આપોઆપ સમાપ્ત થવુ ગેરબંધારણીય: LSE પ્રોફેસરની સુપ્રીમ કોર્ટમાં અરજી

Team News Updates