News Updates
NATIONAL

વસંતનાં વધામણા:મથુરાથી લઈ વૃંદાવન સુધી ઉત્સવનો ગુલાલ,વ્રજમાં 40 દિવસ સુધી ફાગણ મહોત્સવ

Spread the love

દેશભરમાં બુધવારે વસંતનાં વધામણાં સાથે વસંત પંચમીની ઉજવણી કરાઈ હતી. બીજી તરફ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં વસંત પંચમીના દિવસથી હોળીનો તહેવાર શરૂ થયો છે. બુધવારે વસંત પંચમીના દિવસે મથુરાથી વૃંદાવન સુધી ઉલ્લાસપૂર્વક ગુલાલ ઉડાવવામાં આવ્યો હતો.

આ ઉત્સવ 40 દિવસ સુધી ચાલશે. દર વર્ષે વસંત પંચમીના દિવસે બાંકે બિહારી મંદિરમાં ભક્તો ઠાકુરજી પર રંગબેરંગી અબીર-ગુલાલ ઉડાડે છે. વસંત પંચમીનો દિવસ વ્રજ માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા ઉપરાંત રાધા-કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે.

આ સાથે જ બાંકે બિહારી મંદિરમાં 40 દિવસનો હોળીનો તહેવાર પણ શરૂ થાય છે. આ પછી 20મી માર્ચે એકાદશીથી 24મી માર્ચ ફાલ્ગુન પૂર્ણિમા સુધી ભવ્ય ફાગણ મહોત્સવ ઉજવાય છે. 25મી માર્ચે ધુળેટીના દિવસે ડોલોત્સવ થશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો રંગની પ્રેમવર્ષામાં ભીંજાશે.


Spread the love

Related posts

Ola Electric Bike હવે આવી રહ્યું છે Ola Scooter બાદ

Team News Updates

અમદાવાદ એરપોર્ટ વિમાન લેન્ડીંગ કરવા માટે મહત્વનુ, 150 થી વધારે પ્રકારના પ્લેન ભરી ચૂક્યા છે ઉંચી ઉડાન

Team News Updates

કયા દેશમાં પ્લાસ્ટિકની નોટો સ્વીકારવામાં આવે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

Team News Updates