News Updates
KUTCHH

KUTCH:ઘઉંના જથ્થા તળે દબાઈ જવાથી ચાલકનું મોત,રાધનપુર ધોરીમાર્ગ પરના મેવાસા નજીક ઘઉં ભરેલી ટ્રક પલટી;અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા એકનું મોત

Spread the love

કચ્છને ઉત્તર ગુજરાત સાથે જોડતા સામખીયાળી રાધનપુર નેશનલ હાઇવે 27 ઉપર આજે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં રાજસ્થાન પાસીંગની ટ્રક આડેસર તરફથી મુન્દ્રા બાજુ જઈ રહી હતી. ત્યારે ગાગોદર પાસેના મેવાસા નજીક અકસ્માતે પલટી ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં ટ્રકના ચાલકને ઢોળાયેલા ઘઉંના જથ્થા તળે દબાઈ જવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર કારગત નીવડે તે પહેલાજ તેનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી.

આ અંગે ગાગોદર પોલીસ મથકનો સંપર્ક કરતા હાજર કર્મીએ જણાવ્યું હતું કે આજે સવારે રાધનપુર સામખીયાળી ધોરીમાર્ગ પરના મેવાસા થી 1 કિમિ દૂર અકસ્માતે ઘઉં ભરેલી ટ્રક ન. RJ GA 8560 પલટી ગઈ હતી. ઘઉંના જથ્થા તળે મૂળ રાજસ્થાનના ટ્રક ચાલક સુખવિંદર સિંગ જશવંતસિંગનું મરણ થયું હતું. વધુ તપાસ ગાગોદર એએસઆઈ હિંમતભાઈ પુનિયા ચલાવી રહ્યા છે, જોકે વધુ વિગત માટે હિમતભાઈનો ફોન ઉપર સંપર્ક થઈ શક્યો ના હતો. અલબત્ત અકસ્માતની આ ઘટનામાં ટ્રક પલટી ગયા બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. જેન પસાર થતા અન્ય ટ્રક ચાલકોએ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.


Spread the love

Related posts

કચ્છના દરિયાકાંઠેથી વધુ 9 પેકેટ મળી આવ્યા, છેલ્લા 9 દિવસમાં 180 પેકેટ મળતા ચકચાર

Team News Updates

ભરઉનાળે ધોધ જીવંત બન્યો:કચ્છના લખપતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ કુંડી ધોધમાં ખળખળ પાણી વહેતા થયા, ધોધના નયનરમ્ય દૃશ્યો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

Team News Updates

GUJARAT:વાસુકી નાગના મળ્યા અવશેષો કચ્છમાંથી,વૈજ્ઞાનિકોએ અશ્મિ સીલ કર્યા,ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ છે મોટા

Team News Updates