News Updates
SURAT

3 મોપેડ અને બે રિક્ષા ભડભડ સળગી ઊઠી,3 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી,સુરતના વરાછામાં ભીષણ આગ લાગતાં 6 બાઈક,સુરતના વરાછામાં ભીષણ આગ લાગતાં 6 બાઈક

Spread the love

હાલ ગરમીની સિઝનના કારણે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં એસએમસીના પાર્કિંગના પાછળના ભાગે રાત્રે આગની ઘટના બની હતી. પોલીસ દ્વારા જપ્ત કરેલાં વાહનોમાં આગ લાગતાં 11 જેટલાં વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. જો કે, ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરતમાં વરાછા વિસ્તારમાં મોડીરાત્રે આગની ઘટના બની હતી. રાત્રે ફાયર કન્ટ્રોલ રૂમમાં આગનો કોલ મળ્યો હતો કે, વરાછામાં મિની બજાર એસએમસી મલ્ટિ લેવલ પાર્કિંગના પાછળના ભાગમાં અચાનક આગ લાગી હતી. પોલીસ દ્વારા જપ્ત કરેલાં વાહનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે અચાનક આગ ભભૂકી ઊઠતા જપ્ત કરેલાં વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. જેમાં છ બાઈક, ત્રણ મોપેડ અને બે રિક્ષા મળી 11 જેટલાં વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં.

સમગ્ર મામલે ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. સરથાણા, પુણા અને વરાછા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ પોલીસ દ્વારા જપ્ત કરેલાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધતા સવાલો ઊઠી રહ્યા છે.


Spread the love

Related posts

જિંદગીનો અંત આણનાર 5ને નવજીવન આપતો ગયો:સુરતમાં બ્રિજ પરથી પડતું મૂકનાર 26 વર્ષનો રત્નકલાકાર બ્રેનડેડ, કિડની, લિવર, ચક્ષુઓનું દાન કરી પરિવારે માનવતા મહેકાવી

Team News Updates

તમામ જ્યોતિર્લિંગની પૂજા એક જ સ્થાને:પાલનપુર જકાતનાકા શિવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ મુકતા શિવ ભક્તોમાં ઉત્સાહનો માહોલ, ભક્તો તાપીના જળથી અભિષેક કરી શકશે

Team News Updates

11 લાખ રૂદ્રાક્ષનું 35 ફૂટ ઊંચું શિવલિંગ:સુરતમાં દ. ગુજરાતનું સૌથી મોટું રૂદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું, કાશીના ઋષિકુમારો રૂદ્રાભિષેક કરશે; હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થશે

Team News Updates