News Updates
RAJKOT

5 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ Rajkot અગ્નિકાંડમાં , પ્રોહીબિશન એક્ટ નીચે ગુન્હો નોંધાયો

Spread the love

રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગના કારણે સમગ્ર રાજ્ય શોકમાં છે. 28 લોકોના મોત બાદ પરિવારજનોની હાલત ખરાબ છે અને રડી રહ્યા છે. આ ઘટના ઘટ્યા બાદ સીએમ તેમજ ગૃહમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

 રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનના માલિકો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ નીચે ગુન્હો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ રાતે 3 કલાકે શરુ થયેલી SIT ની તપાસમાં CM અને ગૃહમંત્રીની સીધી નજર હેઠળ આજે સાંજ સુધીમાં વધુ કડક પગલા લેવાય તેવી શક્યતાઓ રહેલી છે.

સસ્પેન્ડ કરાયેલા પાંચ લોકોમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર, એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનીયર અને બે સિનિયર પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુલ મળીને 05 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.

ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 28 લોકોના મોત થયા છે. આ કરૂણ અકસ્માતથી સમગ્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય આઘાતમાં છે. દરેક વ્યક્તિ મૃત્યુનો શોક વ્યક્ત કરી રહ્યો છે. ઘણા સંગઠનોએ ગેમિંગ ઝોનમાં આગમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરવા માટે બંધની જાહેરાત કરી છે. સોમવારે શહેરમાં અડધા દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું છે.


Spread the love

Related posts

આત્મીય યુનિ.નું કરોડોના કૌભાંડનો મામલો:સૌરાષ્ટ્ર યુનિ.ના 18 દિવસથી ફરાર પ્રોફેસરની આગોતરા જામીનની અરજી નામંજૂર થતા રાજીનામુ પોસ્ટ કર્યું, ન સ્વીકારવા કોંગ્રેસની માગ

Team News Updates

પાંચમા દિવસે પણ રામ ભરોસે:રાજકોટમાં PGVCL સામે આંદોલન પર ઉતરેલા ઉમેદવારોએ કહ્યું – ‘ટાઢ-તડકો અને ભૂખ સહન કરીને પણ ન્યાય માટે લડીશું’

Team News Updates

નવરાત્રીને લઈને સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરાયો, હ્રદય રોગના જોખમને પહોંચી વળવા નિર્ણય

Team News Updates