News Updates
BUSINESS

42 લાખ કરોડ વધી 1% અમીરોની સંપત્તિ:ઓક્સફેમે અહેવાલ બહાર પાડ્યો; અમેરિકા સમર્થન નથી આપી રહ્યું,ઘણા દેશો ટેક્સ વધારવાના પક્ષમાં

Spread the love

વિશ્વના સૌથી અમીર 1% લોકોની સંપત્તિમાં લગભગ 42 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ઓક્સફેમે તાજેતરના અહેવાલમાં આ માહિતી આપી છે. આ રકમ વિશ્વની અડધી વસ્તીની કુલ સંપત્તિ કરતાં 36 ગણી વધારે છે.

રિપોર્ટ અનુસાર આટલી કમાણી કરવા છતાં આ અમીરોએ તેમની કુલ સંપત્તિનો માત્ર અડધો ટકા જ ટેક્સ ચૂકવ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઓછો છે. જ્યારે છેલ્લા ચાર દાયકામાં આ અમીરોની સંપત્તિમાં દર વર્ષે સરેરાશ 7.1%નો વધારો થયો છે.

વિશ્વના સૌથી અમીર લોકો G20 દેશોમાં રહે છે. આ વર્ષે નવેમ્બરમાં બ્રાઝિલમાં G20નું આયોજન થવા જઈ રહ્યું છે જ્યાં આ અમીર લોકો પર વધુ ટેક્સ લગાવવા પર ચર્ચા થઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, તાજેતરના દાયકાઓમાં અમીર લોકોની સંપત્તિમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે, પરંતુ તેમના પર લાદવામાં આવેલા ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે. મોટાભાગના લોકો ખૂબ જ ઓછા પૈસા પર જીવે છે.

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આ અઠવાડિયે G20 નાણા પ્રધાનોની બેઠક યોજાવાની છે. આ દરમિયાન આ નેતાઓ અમીર લોકો પર ટેક્સ વધારવા પર ચર્ચા કરશે. આ સાથે તેઓ તેમની ટેક્સ બચતની પદ્ધતિઓ પર કેવી રીતે અંકુશ લગાવવો તેની પણ ચર્ચા કરશે.


રિપોર્ટ અનુસાર, G20 પ્રમુખ બ્રાઝિલ આ દેશો સાથે મળીને અમીર લોકો પર વધુ ટેક્સ લગાવવા માગે છે. તે આ મુદ્દે અન્ય દેશોનો સહયોગ ઈચ્છે છે. ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, કોલંબિયા અને આફ્રિકન યુનિયન આના પક્ષમાં છે, પરંતુ અમેરિકા તેની વિરુદ્ધ છે.

રિપોર્ટ અનુસાર, ટોચના 1% અમીરોની સરેરાશ સંપત્તિ છેલ્લા 10 વર્ષમાં 3 કરોડ 35 લાખ રૂપિયા વધી છે, જ્યારે અગાઉના દાયકામાં તે માત્ર 28 હજાર રૂપિયા હતી. તે જ સમયે, આ દાયકામાં વસ્તીના તળિયે 50% લોકોની સરેરાશ સંપત્તિમાં દરરોજ માત્ર 9 સેન્ટનો વધારો થયો છે. ભારતીય રૂપિયામાં આ 50 પૈસાથી ઓછો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી સંપત્તિ એકઠી કરવા છતાં આ અમીરોની ટેક્સ જવાબદારી ઘટી છે જેના કારણે સમગ્ર વિશ્વમાં અસમાનતા વધી રહી છે. ઓક્સફેમનું કહેવું છે કે G20 સરકારો માટે આ એક મોટી કસોટી છે. Oxfam ઈચ્છે છે કે અમીર લોકોની કુલ સંપત્તિ પર દર વર્ષે ઓછામાં ઓછો 8% ટેક્સ લાદવામાં આવે.

ઓક્સફેમના મેક્સ લોસનનું કહેવું છે કે અમીર લોકો પર વધુ ટેક્સ લાદવાની માગ ઝડપથી વધી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું સરકારો આવું કરવાની હિંમત બતાવશે? લોસને કહ્યું, અસમાનતા તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે અને સરકારો તેમના નાગરિકોને તેની અસરોથી બચાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.


Spread the love

Related posts

સોનીએ NCLTમાંથી ZEE-Sony મર્જરની અરજી પાછી ખેંચી:22 જાન્યુઆરીના રોજ સોદો રદ કર્યો હતો; ડિસેમ્બર 2021માં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા

Team News Updates

કોમર્શિયલ અને પ્રાઈવેટ કાર ઈન્સ્યોરન્સમાં શું તફાવત છે, જાણો તેના ફાયદા

Team News Updates

Apple Vision Proથી તમારી દુનિયા જોવાની રીત બદલાઈ જશે:WWDC કોન્ફરન્સમાં મિક્સ્ડ રિયાલિટી હેડસેટ લૉન્ચ કરવામાં આવ્યો, કિંમત લગભગ રૂ. 2.88 લાખ

Team News Updates