News Updates
GUJARAT

Navsari:2 ટ્ર્ક ફસાઈ 10 મજૂરો સાથે અંબિકા નદીના પૂરમાં

Spread the love

અંબિકા નદીમાં પૂર એટલી ઝડપે આવી ગયા કે, માત્ર 2 કલાકમાં અંબિકા નદીની જળસપાટી 8 ફૂટ સુધી વધી જવા પામી હતી. પૂર આવ્યા પહેલા અંબિકા નદીની જળસપાટી 11 ફૂટ પર હતી, તે માત્ર 2 કલાક બાદ વધીને 20 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી.

નવસારીની અંબિકા નદીની જળ સપાટી એકાએક વધતા નદીના પટમાં 10 મજૂરો સાથે 2 ટ્રક ફસાઈ ગઈ હતી. નદીના પાણી એકાએક ફરી વળતા, નદીના પટમાં કામ કરતા 10 જેટલા મજૂરો પણ અંબિકા નદીના પાણીમાં ટ્રકની સાથે ફસાઈ ગયા હતા. અંબિકા નદીના પટમાંથી રેતી કાઢવાનું કામ મજૂરો કરી રહ્યાં હતા. આ સમયે નદીમાં એકાએક ધસમસતા પૂરના પાણી આવતા મજૂરો અને 2 ટ્રકને બહાર નીકળવાનો સમય રહ્યો નહોતો.

જોતજોતામાં અંબિકા નદીનું પાણીએટલુ બધુ વધી ગયુ કે બન્ને ટ્ર્ક પણ ફસાઈ ગઈ હતી. રેતી ખનનનું કામ કરતા મજૂરો બચવા માટે ટ્ર્ક પર ચડી ગયા હતા. પરંતુ ધસમસતા પૂરના પાણી સામે ટ્ર્ક પણ અંબિકા નદીના પટમાંથી બહાર નીકળવામાં નિષ્ફળ રહ્યો હતો. જો કે આખરે તંત્ર મજૂરોની વહારે આવ્યું હતું. જીવ બચાવવા માટે ટ્ર્ક પર પડી ગયેલા મજૂરો અને ટ્ર્ક ડ્રાઈવરને નદીના ધસમસતા પૂરના પાણીમાંથી બચાવી લેવાયા હતા.

અંબિકા નદીમાં પૂર એટલી ઝડપે આવી ગયા કે, માત્ર 2 કલાકમાં અંબિકા નદીની જળસપાટી 8 ફૂટ સુધી વધી જવા પામી હતી. પૂર આવ્યા પહેલા અંબિકા નદીની જળસપાટી 11 ફૂટ પર હતી, તે માત્ર 2 કલાક બાદ વધીને 20 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. જો કે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે, અંબિકા નદીમાં હજુ પણ પૂર આવવાની સંભાવના છે.


Spread the love

Related posts

T20 World Cup 2024:એક તો સાથે વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે;અમદાવાદ, સુરત, જામનગર અને આણંદના ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન

Team News Updates

માન્યતા તો એવી છે બ્રહ્માજીને શિક્ષા આપવા પ્રગટ થયા:શિવજીનો જ અવતાર છે કાલભૈરવ, તેમની પુજા-અર્ચના કરીને ભક્તોએ ખરાબ આદત છોડવાનો સંકલ્પ લેવો જોઇએ

Team News Updates

Kartik Purnima 2024:સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને સમય, ક્યારે છે કારતક પૂનમ, જાણો અહી તારીખ

Team News Updates