News Updates
GUJARAT

GONDAL:20 વર્ષ કેદની સજા ફરમાવ્યો સગીરા ઉપર દુષ્કર્મ કરનાર શખ્સને,ગોંડલની સેશન્સ અદાલત

Spread the love

રાજકોટ શહેરના શાપર વેરાવળમાં રહેતા ફરીયાદીની ભોગબનનાર સગીરાને આરોપી જગદીશ ઉર્ફે અજય સોમાભાઈ રાઠોડ ભગાડી ગયેલ તેવી સગીરાની માતાએ તા.07/10/2023 ના રોજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં જગદીશ ઉર્ફે અજય સોમાભાઈ સામે ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આરોપી અને સગીરા મળી આવતા જગદીશની ધરપકડ કરવામાં આવી હતી અને સગીરાએ જણાવ્યું હતું કે આરોપી તેને બદકામ કરવાના ઇરાદે તેના મુળ વતન ખમીદાણા તા.કેશોદ જી.જુનાગઢ ગામે લઈ ગયેલ હતો અને ત્યાં સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ બે થી ત્રણ વખત દુષ્કર્મ કરેલ તેવું સગીરાએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું.

જગદીશ ઉર્ફે અજય સોમાભાઈ રાઠોડ સામે પોકસો અદાલતમાં ચાર્જશીટ થયેલ અને સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તેમજ માતા પિતાની જુબાની તથા સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી ગોંડલના સેશન્સ જજ એમ.એ.ભટ્ટી એ 20 વર્ષ કેદની સજા ફરમાવેલ છે.


Spread the love

Related posts

બે સંતાન સાથે પિતાની આત્મહત્યાનો મામલો:પત્ની ઘરમાં કચરા-પોતાં અને રસોઈ જેવાં કામ કરાવી કેસ કરવાની ધમકી આપતી હતી, મૃતકના પિતાએ પુત્રવધૂ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી

Team News Updates

ACમાં બ્લાસ્ટ સાથે આગ ભભૂકી મધરાતે :GNLUના મહિલા પ્રોફેસરની વૃદ્ધ માતાનું ગૂંગળામણથી મોત,ગાંધીનગરના સરગાસણનાં ફ્લેટમાં ભીષણ આગથી અફરાતફરી મચી

Team News Updates

તહેવાર માતમમાં પરિણમ્યો:ધોરાજીમાં તાજિયા વીજલાઇનને અડી જતાં 26 લોકોને વીજકરંટ લાગતાં નાસભાગ, 2નાં મોત, હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં

Team News Updates