News Updates
GUJARAT

જામનગરના યુવાનને મોતની છલાંગ લગાવી નદીમાં બાઈક સાથે,પિતાએ ઠપકો આપતા માઠુ લાગ્યું  દારૂ અને જુગારની ટેવ અંગે,બેડની નદીમાં કુદી જીવન ટૂંકાવ્યું

Spread the love

જામનગર શહેરના તિરૂપતિ સોસાયટીમાં રહેતો એક યુવક ઘેરથી ઝઘડો કરીને નિકળ્યો હતો અને દારૂ અને જુગાર રમવાની ટેવ હોવાના કારણે પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયા પછી બેડની નદીમાં ઝંપલાવી દીધું હતું.

જામનગર નજીક બેડની નદીમાં ગઈકાલે એક યુવાન પોતાના બાઈક સાથે તણાયો હતો, જે અંગેની જાણકારી મળતાં પોલીસે ફાયરની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગઇકાલે બાઈક મળી આવ્યું હતું, ત્યારબાદ આજે સવારે યુવાનનો મૃતડેહ મળી આવ્યો હતો. જેની ઓળખ થઈ છે.અને તે તિરુપતિ સોસાયટીમાં રહેતો હોવાનું અને પોતાના ઘરેથી ઝઘડો કરીને બેડની નદીમાં ઝંપલાવી દીધાનું જાહેર થયું છે.

દારૂ અને જુગારની ટેવ ના કારણે પિતાએ ઠપકો આપતાં ઘર છોડીને આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. જામનગર નજીક બેડની નદીના પાણીના પ્રવાહમાં એક યુવાન બાઈકની સાથે તણાયો હતો. ગઈકાલે બપોરે ભાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હોવાનું ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું.

જેથી સિક્કાના પોલીસ હેડ કોન્સટેબલ સી.ડી. ગાંભવા અને કરણસિંહ જાડેજાએ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન નદીમાંથી બાઈક મળી આવ્યું હતું, જેને​​​​​​​ બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યું હતું, પરંતુ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી હતી.

દરમિયાન આજે સવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, અને તેની ઓળખ થઈ છે. જેનું નામ મિલન હેમંતભાઈ રાવત ઉં.22 અને તે જામનગરમાં નિકૃપતિ સોસાયટી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના મોટા ભાઈએ મૃતદેહ ને ઓળખી બતાવ્યો હતો. પોલીસની વધુ પૂછપરછમાં મૃતક કે જે પોતે દારૂ અને જુગાર રમવાની ટેવવાળો હોવાથી તેના પિતાએ ઠપકો આપ્યો હતો. જેથી માઠું લાગી આવતાં બેડની નદી પાસે આવ્યો હતો, અને બાઈક સાથે ઝંપલાવી દઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.


Spread the love

Related posts

આજે મંગળવાર અને ચોથનો અનોખો સંયોગ, તિલકુંડ ચતુર્થી અને કુંભ સંક્રાંતિએ સૂર્ય ભગવાનને ગોળનું દાન કરો

Team News Updates

પ્રેગ્નસી દરમિયાન આ 3 વિટામિન્સ જરુર લો, માતા અને બાળક બંને રહેશે સ્વસ્થ

Team News Updates

ભક્તો શિવભક્તીમાં તરબોળ:ડીસાના આસેડા ગામે નીલકંઠ મહાદેવના મંદિરે લોકગાયક વિજય સુવાળા અને દેવપગલીએ ધૂમ માચવી, ભક્તોએ કલાકારો પર ચલણી નોટો વરસાવી

Team News Updates