News Updates
AHMEDABAD

20 નવી હાઇટેક વૉલ્વો STમાં પહેલીવાર :અમદાવાદથી વડોદરા, સુરત, રાજકોટ માટે 20 નવી વોલ્વો, પહેલી વખત ચાલુ બસે આગ બુઝાવવાની સુવિધા, પેનિક બટન પણ હશે

Spread the love

STમાં પહેલીવાર 20 નવી હાઇટેક વૉલ્વો, ચાલુ બસે આગ બુઝાવી શકાશે

એસટી નિગમે ગુરુવારે વધુ પેસેન્જર સુરક્ષા સિસ્ટમ ધરાવતી 20 હાઈએન્ડ વોલ્વો સીટર બસોનું લોકાર્પણ કર્યું છે. એક બસની કિંમત લગભગ 1.60 કરોડ છે. 20 બસમાંથી 8 બસ નહેરૂનગરથી સુરત રૂટ પર, 8 બસ નહેરૂનગરથી વડોદરા રૂટ પર તેમજ 4 બસ અમદાવાદથી રાજકોટ રૂટ દોડશે.

નહેરૂનગરથી સુરતનું ભાડું રૂ.648, નહેરૂનગરથી વડોદરાનું ભાડું રૂ.294 તેમજ અમદાવાદથી રાજકોટનું ભાડું રૂ.519 રહેશે. નવી વોલ્વો બસ આગ બુઝાવવાની સિસ્ટમથી સજજ હશે તેમજ આરામદાયક સીટોની સાથે ફાયર સેફ્ટી સહિતની આર્મીના વાહનો જેવી સુરક્ષા હશે. દિવાળી સુધીમાં અદ્યતન સુવિધા ધરાવતી વધુ 80 બસો સંચાલનમાં મૂકાશે. જૂની બસોને રિપ્લેસ કરવામાં આવશે.

CCTV કેમેરા, પેનિક બટન, સીડી સાથેનો ઈમરજન્સી એક્ઝિટ ગેટ

તમામ એસી બસમાં 47 પેસેન્જરોને બેસવાની ક્ષમતા સાથે 2×2 લેધર અને આરામદાયક પુશબેક સીટ આપવામાં આવી છે. દરેક સીટ પર એસીની વેન્ટ અને લાઈટ લગાવાઈ છે.

ઈમરજન્સી એક્ઝિટ… આકસ્મિક સંજોગોમાં બસમાંથી બહાર નીકળવા માટે સીડી સાથેનો ઈમરજન્સી ગેટ છે.

પેનિક બટન… પ્રવાસ દરમિયાન પેસેન્જર અસુરક્ષા અનુભવે તો સીટની નજીક પેનિક બટન હશે. જે દબાવતા તરત જ પોલીસને જાણ થઈ જશે અને મદદ મળશે.

સ્પ્રીંકલર… બસમાં નાઈટ્રોજન-પાણીની ટાંકી છે. આગ તેમજ ધુમાડો નીકળે તો સ્પ્રીંકલર ચાલુ થઈ જશે.


Spread the love

Related posts

ચણિયાચોળી પર ઉતર્યો નવરાત્રી અને વર્લ્ડ કપના રોમાંચનો રંગ, અમદાવાદના ડિઝાઈનરે તૈયાર કરી ‘વર્લ્ડકપ ચણિયાચોળી’

Team News Updates

1419 કરોડનું પેકેજ જાહેર રાજ્ય સરકારનું ખેડૂતો માટે :અંદાજે 7 લાખ ખેડૂતને મળશે લાભ 20 જિલ્લાના,8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને ચૂકવાશે સહાય

Team News Updates

AHMEDABAD:માસૂમનો ગયો જીવ,અમદાવાદના નહેરુનગરમાં કાર ચાલકે પાર્કિંગમાં રમતી બાળકીને કચડી

Team News Updates