News Updates
GUJARAT

GUJARAT:ખેડૂતોનો મોઢે આવેલ કોળિયો છિનવાયો,ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક થયો બરબાદ

Spread the love

રાજ્યમાં પાછોતરો વરસાદ ખેડૂતો પર આફત બનીને વરસ્યો છે. સર્વત્ર અનરાધાર વરસાદ વરસતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મહીસાગરના ખાનપુરના કાનેસર ગામમાં 400 એકરથી વધુનો ડાંગરનો પાક જમીનદોસ્ત થયો છે, તો બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે.

વરસાદ વધુ પડ્યો હોય કે ઓછો અંતે ખેડૂતોને જ આર્થિક માર સહેન કરવો પડે છે. રાજ્યમાં પાછોતરો વરસાદ ખેડૂતો પર આફત બનીને વરસ્યો છે. સર્વત્ર અનરાધાર વરસાદ વરસતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મહીસાગરના ખાનપુરના કાનેસર ગામમાં 400 એકરથી વધુનો ડાંગરનો પાક જમીનદોસ્ત થયો છે, તો નવસારીમાં 70 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે. ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે કરેલા પપૈયાના છોડના વાવેતર પર પાણી ફરી વળ્યું છે, તો બાજરી, જુવાર સહિતના પાક આડા પડી જતાં ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, તો સુરેન્દ્રનગરમાં ખેડૂતો માટે વરસાદ આફતરૂપી બન્યો છે. ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદથી કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. વરસાદ બાદ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.


Spread the love

Related posts

પૈસા પડાવવા હદ વટાવી તમામઅજાણ્યા શખ્સે:19 લાખ પડાવ્યા વાઈરલ કરવાની ધમકી આપી,ગાંધીનગરમાં રહેતા યુવકના વોટ્સએપ પર મૃતક બેનના ન્યૂડ ફોટો મોકલ્યા

Team News Updates

સોમનાથના ધારાસભ્ય દ્વારા રાશન કાર્ડનું અનાજ બંધ થતાં અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોની મીટીંગ દરમિયાન ફોર્મ રજૂ કરવામાં આવેલ

Team News Updates

કષ્ટભંજન દાદાનો બે હજાર કિલો દ્રાક્ષનો દિવ્ય શણગાર:સાળંગપુર હનુમાનજી મંદિરે એકાદશી નિમિત્તે 2000 કિલો દ્રાક્ષનો શણગાર કરી અન્નકૂટ ધરાવાયો, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો

Team News Updates