News Updates
NATIONAL

Punjab:મૌલવીએ  પત્ની બિમાર હતી  તો આ હેવાન એ પોતાની જ દીકરીને હવસનો શિકાર બનાવી

Spread the love

શાહનગરના એક મૌલવી પર પોતાની જ દીકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ શરમજનક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૌલવીની ઉંમર 55 વર્ષ અને દીકરીની ઉંમર 25 વર્ષની છે. આ બનાવથી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

પંજાબના શાહનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બાપ-દીકરીના સંબંધને શરમશાર કરતી આ ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શાહનગરના એક મૌલવી પર પોતાની જ દીકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ શરમજનક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૌલવીની ઉંમર 55 વર્ષ અને દીકરીની ઉંમર 25 વર્ષની છે. આ બનાવથી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

આ અંગે જ્યારે મૌલવીની દીકરીએ તેના પિતા વિરુદ્ધ શાહ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી. દીકરીની ફરિયાદ બાદ પોલીસે મૌલવીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી તો તેણે પોતે આ ગુનો કબૂલ્યો હતો. મૌલવીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેની પત્ની બીમાર હતી, તેથી તેણે તેની પુત્રી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેણે પોતાની જ દીકરી સાથે 5-6 વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું કબૂલ્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે તેની પુત્રી સાથે આવું ઘૃણાસ્પદ કૃત્ય શા માટે કર્યું તો તેણે ભૂલ થઈ હોવાનું કબૂલ્યું હતું.

આ ઘટના બાદ શાહનગરના લોકોએ આ કૃત્યની સખત નિંદા કરી છે, જ્યારે સ્થાનિક લોકોએ દોષિતને કડક સજાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું ઘૃણાસ્પદ કૃત્ય કરતા પહેલા સો વખત વિચારે. હાલ પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.


Spread the love

Related posts

Chandrayaan 3: ખાવાથી લઈને સૂવા સુધી…શું તમને ખબર છે કે ચંદ્ર પર કેવી હોય છે વૈજ્ઞાનિકોની લાઈફસ્ટાઈલ?

Team News Updates

સેનાએ સિક્કિમમાં ફસાયેલા 3500 પ્રવાસીઓને બચાવ્યા:ભૂસ્ખલનથી રસ્તો ધોવાઈ ગયો, ચુંગથાંગ ઘાટીમાં ભારે વરસાદ

Team News Updates

મણિપુરમાં હિંસા બાદ 11 અધિકારીઓની બદલી:આમાં IAS અને IPSનો સમાવેશ; CM એન વિરેન સિંહ સાથે આસામના મુખ્યમંત્રીએ મુલાકાત કરી

Team News Updates