News Updates
NATIONAL

Punjab:મૌલવીએ  પત્ની બિમાર હતી  તો આ હેવાન એ પોતાની જ દીકરીને હવસનો શિકાર બનાવી

Spread the love

શાહનગરના એક મૌલવી પર પોતાની જ દીકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ શરમજનક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૌલવીની ઉંમર 55 વર્ષ અને દીકરીની ઉંમર 25 વર્ષની છે. આ બનાવથી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

પંજાબના શાહનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બાપ-દીકરીના સંબંધને શરમશાર કરતી આ ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શાહનગરના એક મૌલવી પર પોતાની જ દીકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ શરમજનક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૌલવીની ઉંમર 55 વર્ષ અને દીકરીની ઉંમર 25 વર્ષની છે. આ બનાવથી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

આ અંગે જ્યારે મૌલવીની દીકરીએ તેના પિતા વિરુદ્ધ શાહ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી. દીકરીની ફરિયાદ બાદ પોલીસે મૌલવીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી તો તેણે પોતે આ ગુનો કબૂલ્યો હતો. મૌલવીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેની પત્ની બીમાર હતી, તેથી તેણે તેની પુત્રી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેણે પોતાની જ દીકરી સાથે 5-6 વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું કબૂલ્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે તેની પુત્રી સાથે આવું ઘૃણાસ્પદ કૃત્ય શા માટે કર્યું તો તેણે ભૂલ થઈ હોવાનું કબૂલ્યું હતું.

આ ઘટના બાદ શાહનગરના લોકોએ આ કૃત્યની સખત નિંદા કરી છે, જ્યારે સ્થાનિક લોકોએ દોષિતને કડક સજાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું ઘૃણાસ્પદ કૃત્ય કરતા પહેલા સો વખત વિચારે. હાલ પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.


Spread the love

Related posts

અલ નીનો એક્ટિવ, શિયાળાની પેટર્ન બદલાઈ:આગામી ત્રણ મહિનામાં દિવસનું તાપમાન 4-5 ડિગ્રી વધુ નોંધાઈ શકે છે

Team News Updates

જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી:છત્તીસગઢમાં ડોંગરગઢના ચંદ્રગિરી તીર્થમાં 3 દિવસના ઉપવાસ બાદ દેહ ત્યાગ કર્યો, બપોરે 1 વાગે અંતિમ સંસ્કાર વિધિ

Team News Updates

શ્રીલંકામાં રમશે  ટીમ ઈન્ડિયાના 15 માંથી 7 ખેલાડીઓ પ્રથમ વખત 

Team News Updates