News Updates
NATIONAL

Punjab:મૌલવીએ  પત્ની બિમાર હતી  તો આ હેવાન એ પોતાની જ દીકરીને હવસનો શિકાર બનાવી

Spread the love

શાહનગરના એક મૌલવી પર પોતાની જ દીકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ શરમજનક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૌલવીની ઉંમર 55 વર્ષ અને દીકરીની ઉંમર 25 વર્ષની છે. આ બનાવથી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

પંજાબના શાહનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બાપ-દીકરીના સંબંધને શરમશાર કરતી આ ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શાહનગરના એક મૌલવી પર પોતાની જ દીકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ શરમજનક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૌલવીની ઉંમર 55 વર્ષ અને દીકરીની ઉંમર 25 વર્ષની છે. આ બનાવથી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

આ અંગે જ્યારે મૌલવીની દીકરીએ તેના પિતા વિરુદ્ધ શાહ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી. દીકરીની ફરિયાદ બાદ પોલીસે મૌલવીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી તો તેણે પોતે આ ગુનો કબૂલ્યો હતો. મૌલવીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેની પત્ની બીમાર હતી, તેથી તેણે તેની પુત્રી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેણે પોતાની જ દીકરી સાથે 5-6 વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું કબૂલ્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે તેની પુત્રી સાથે આવું ઘૃણાસ્પદ કૃત્ય શા માટે કર્યું તો તેણે ભૂલ થઈ હોવાનું કબૂલ્યું હતું.

આ ઘટના બાદ શાહનગરના લોકોએ આ કૃત્યની સખત નિંદા કરી છે, જ્યારે સ્થાનિક લોકોએ દોષિતને કડક સજાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું ઘૃણાસ્પદ કૃત્ય કરતા પહેલા સો વખત વિચારે. હાલ પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.


Spread the love

Related posts

તૂટશે છેલ્લો રેકોર્ડ,14 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું 4 દિવસમાં,ભાડું 1.95 :હેલિકોપ્ટર દ્વારા ચારધામ

Team News Updates

વડાપ્રધાન પદના શપથ કેમ લેશે ? 8 જૂને જ

Team News Updates

શિવજીનું વાહન નહીં પરંતુ અવતાર છે નંદી:નંદી પૂજા વગર શિવ અભિષેક રહે છે અધૂરો, નંદીના કાનમાં મનોકામના કહેવાની છે પરંપરા

Team News Updates