News Updates
INTERNATIONAL

ભડભડ સળગી સ્કૂલબસ થાઈલેન્ડમાં:ટાયર ફાટવાને કારણે દુર્ઘટના ઘટી,25 વિદ્યાર્થી જીવતા ભડથું થયા, 5 શિક્ષક સહિત 44 સવાર હતા

Spread the love

થાઈલેન્ડમાં એક સ્કૂલબસમાં લાગેલી આગમાં 25 વિદ્યાર્થીનાં મોત થયાં છે. સમાચાર એજન્સી AFPના જણાવ્યા અનુસાર, બસમાં કુલ 44 બાળક હાજર હતાં, જેમાંથી 16ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ બચાવકર્મીઓ બાકીનાં બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

જોકે ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. રોઇટર્સ અનુસાર, આ દુર્ઘટના બેંગકોકના ખુ ખોટ વિસ્તારમાં બપોરે લગભગ 12.30 વાગ્યે થઈ હતી. બસ શાળાથી પરત ફરી રહી હતી. એમાં 5 શિક્ષક પણ હાજર રહ્યા હતા.

થાઈલેન્ડના વડાપ્રધાન પટોન્ગટાર્ન શિનાવાત્રાએ અકસ્માતમાં જીવ ગુમાવનારાં બાળકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દેશના ગૃહમંત્રી અનુતિન ચર્નવિરાકુલે કહ્યું હતું કે બચાવકર્મીઓ પહોંચ્યા પછી પણ બસ એટલી ગરમ હતી કે અંદર જવું ખૂબ મુશ્કેલ હતું, જેના કારણે અકસ્માત બાદ લાશ લાંબા સમય સુધી બસમાં જ પડી રહી હતી. મૃત્યુ પામેલા લોકોની હજુ ઓળખ થઈ નથી.


Spread the love

Related posts

ચીનમાં કોરોનાની નવી લહેર:ઓમિક્રોનનું XBB વેરિઅન્ટ જૂનમાં પીક પર હશે, એક અઠવાડિયામાં 65 મિલિયન કેસ નોંધાઈ શકે છે

Team News Updates

US New Citizenship Act 2023: નાગરિકતા આપવાનો નિયમ બદલી રહ્યું છે અમેરિકા, ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો પર શું થશે અસર જાણો…

Team News Updates

જયશંકરની બિલાવલ સાથે મુલાકાત, દૂરથી જ પ્રણામ:જયશંકરે SCOની બેઠકમાં કહ્યું- આતંકવાદ વિશ્વ સમક્ષ મોટું જોખમ છે

Team News Updates