News Updates
RAJKOT

મીઠા મોં કરી ખુશી વ્યક્ત કરી જેલમુકિત મળતા:,રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પહેલા નોરતે વહેલી,આજીવન કેદના 4 કેદીને જેલમુકિત

Spread the love

રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા ચાર કેદીઓને વહેલી જેલમુકિત મળી છે. આજે પ્રથમ નોરતા દરમિયાન જેલમુક્તિ મળતા કેદીઓના પરિજનોએ મીઠા મોઢા કરી ખુશી વ્યકત કરી હતી. જયારે જેલ અધિક્ષકે ચારેય ભાઈઓને ભગવત ગીતા આપી સારા નાગરિક બની સમાજમાં પુન:સ્થાપિત થવા સલાહ આપી હતી.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-475ની જોગવાઈઓને આધિન નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-473 હેઠળ રાજય સરકારને મળેલ સતાની રૂએ રાજકોટ મધ્યસ્થ જેલના આજીવન કેદના પાકા કામના કેદી ધીરૂભાઈ નનકાભાઈ ધાખડા, સઈદ આદમભાઈ વરામ, જયેન્દ્રસિંહ નારૂભા ઝાલા અને હિતેષ મનુભાઈ જાદવને થયેલ સજાનો બાકીનો ભાગ શરતોને આધીન માફ કરીને તાત્કાલીક અસરથી જેલમુકત કરવા રાજય સરકાર દ્વારા હુકમ કરવામા આવેલ છે. જે અન્વયે કેદીઓને આજરોજ સરકારના હુકમ મુજબ નકકી કરવામા આવેલ શરતોને આધિન આજે પ્રથમ નોરતા દિવસે જેલમુકત કરવામાં આવેલ છે.

​​​​​​​રાજય સરકાર દ્વારા ઉપરોકત કેદીઓની સજાનો બાકીનો ભાગ માફ કરી સમાજમાં પુન:સ્થાપિત થાય તેવા શુભ આશયથી જેલમુકત કરવા હુકમ કરાતા જેલ અધિક્ષક રાઘવ જૈન દ્વારા આ તમામ બંદીવાનોને શ્રીમદ ભાગવત ગીતા ભેટમાં આપી હતી તેમજ આ બંદીવાનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


Spread the love

Related posts

હીરાસર એરપોર્ટમાં અપૂરતી સુવિધાથી વિવાદ:એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ થઈ, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ કર્યું હોત તો મુસાફરોને અગવડ ન પડતઃ રાજકોટ ઓથોરિટીએ સ્વીકાર્યું

Team News Updates

આત્મીય યુનિ.નું કરોડોના કૌભાંડનો મામલો:સૌરાષ્ટ્ર યુનિ.ના 18 દિવસથી ફરાર પ્રોફેસરની આગોતરા જામીનની અરજી નામંજૂર થતા રાજીનામુ પોસ્ટ કર્યું, ન સ્વીકારવા કોંગ્રેસની માગ

Team News Updates

કોંગ્રેસની CPને રજૂઆત:મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાનું વાવેતર મળવા અંગે જવાબદારો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહીની માગ કરાઈ

Team News Updates