News Updates
ENTERTAINMENT

ભારતનો નંબર વન બોલર બન્યો,અર્શદીપે રચ્યો ઈતિહાસ ટી20માં 

Spread the love

ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં સરળતાથી જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમને પહેલી ટી-20 મેચમાં 7 વિકેટથી જીત મળી છે.ટી20 ઈન્ટરનેશનલમાં અર્શદીપ સિંહે ભારત તરફથી સૌથી વધારે 3 વિકેટ લેનાર બોલર બન્યો છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. ભારતની જીતમાં ભારતીય બોલરનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ.

તમને જણાવી દઈએ કે, અર્શદીપ સિવાય વરુણ ચક્રવર્તી 3 વિકેટ લઈ બાંગ્લાદેશની ઈનિગ્સને 127 રન પર રોકવામાં સફળતા મેળવી હતી. આ મેચમાં અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો છે.

ટી20 ઈન્ટરનેશનલમાં અર્શદીપ સિંહે ભારત તરફથી સૌથી વધારે 3 વિકેટ લેનાર બોલર બન્યો છે.અર્શદીપે અત્યાર સુધી ટી20માં 11 વખત આ કારનામું કર્યું છે. આમ કરીને અર્શદીપે યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાને હરાવ્યા છે

આ 3 બોલરેઓ અત્યારસુધી ટી20માં 10 વખત 3થી વધારે વિકેટ લેવામાં સફળતા મેળવી છે. અર્શદીપ સિંહ સતત શાનદાર બોલિંગ કરી રહ્યો છે. વર્ષ 2024માં ટી20 ઈન્ટરનેશનલમાં અર્શદીપે 25 વિકેટ લીધી છે. આ કારણે અર્શદીપને હવે ભારતીય ક્રિકેટમાં નાના ફોર્મેટમાં શાનદાર બોલર માનવામાં આવે છે

128 રનના ટાર્ગેટનો પીછો કરવા હાર્દિક પંડ્યાએ સતત 2 ચોગ્ગા ફટકાર્યા અને 12મી ઓવરમાં અહમદના બોલ પર સિકસ ફટકારી જીત મેળવી છે. પંડ્યાએ પોતાની ઈનિગ્સમાં 5 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી હતી.


Spread the love

Related posts

 શું તમે જાણો છો ઓસ્કારની ટ્રોફીમાં કોની મૂર્તિ હોય છે, ટ્રોફી બનાવવા કેટલો સમય લાગે છે જાણો

Team News Updates

IPLમાં DCને 224 રનનો ટાર્ગેટ:દિલ્હીની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં જ ટીમે ત્રીજી વિકેટ ગુમાવી; ચહરે સોલ્ટ પછી રોસોયુને આઉટ કર્યો

Team News Updates

સાત મહિના બાદ ફરી જામશે ક્રિકેટ જંગ:વર્લ્ડકપ પહેલાં રાજકોટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે રમશે વનડે ફાઈનલ, SCA દ્વારા બેટિંગ પીચ તૈયાર કરાઈ

Team News Updates