News Updates
Uncategorized

માંડવીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં ડૂબ્યા

Spread the love

પારિવારીક ઝઘડાના કારણે માતાએ નહેરમાં છલાંગ લગાવી જેને બચાવવા માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં ડૂબ્યા હતા. જોકે શોધખોળ દરમિયાન માતાનો મૃતદેહ મળ્યો.

સુરતના માંડવીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો નહેરમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. પાણીમાં ડૂબવાની ઘટનામાં માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં તણાયા છે. મહત્વનું છે કે તમામનું પાણીમાં ડૂબી જવાના કારણે માતાનું મોત નીપજયું છે. પારિવારીક ઝઘડાના કારણે માતાએ નહેરમાં છલાંગ લગાવી હતી. જોકે માતાને બચાવવા કૂદેલા પુત્ર અને પુત્રવધુ પણ નહેરના પાણીમાં તણાયા હતા. ઘર કંકાસમાં પરિવારના ઝઘડામાં માતાને માઠું લાગી આવતા આ પગલું લીધું હોવાનું પણ સામે આવ્યું છે.

માતાએ નહેરમાં છલાંગ લગાવતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેને લઈ તાત્કાલિક ફાયર વિભાગે જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી હતી. ડૂબેલી માતાની શોધખોળ દરમિયાન માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ નહેરમાં માતાને બચાવવા પડેલા પુત્ર અને પુત્ર વધુ પણ પાણીમાં ડૂબ્યા હતા, જોકે હાલ સુધી પુત્ર અને પુત્રવધુની કોઈ ભાળ મળી નથી.


Spread the love

Related posts

બોટાદ માર્કેટિંગ યાર્ડ માં સહકારી મંડળીઓ નો સેમિનાર યોજાયો

Team News Updates

‘દો ગુજરાતી ઠગ હૈ’ બદનક્ષી કેસ:આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાશે, સમન્સ ઇસ્યુ થાય તો નક્કી તારીખે તેજસ્વી યાદવે કોર્ટમાં હાજર રહેવું પડશે

Team News Updates

સોમનાથ ટ્રસ્ટ દ્વારા TFC ભવન ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Team News Updates