News Updates
Uncategorized

માંડવીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં ડૂબ્યા

Spread the love

પારિવારીક ઝઘડાના કારણે માતાએ નહેરમાં છલાંગ લગાવી જેને બચાવવા માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં ડૂબ્યા હતા. જોકે શોધખોળ દરમિયાન માતાનો મૃતદેહ મળ્યો.

સુરતના માંડવીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો નહેરમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. પાણીમાં ડૂબવાની ઘટનામાં માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં તણાયા છે. મહત્વનું છે કે તમામનું પાણીમાં ડૂબી જવાના કારણે માતાનું મોત નીપજયું છે. પારિવારીક ઝઘડાના કારણે માતાએ નહેરમાં છલાંગ લગાવી હતી. જોકે માતાને બચાવવા કૂદેલા પુત્ર અને પુત્રવધુ પણ નહેરના પાણીમાં તણાયા હતા. ઘર કંકાસમાં પરિવારના ઝઘડામાં માતાને માઠું લાગી આવતા આ પગલું લીધું હોવાનું પણ સામે આવ્યું છે.

માતાએ નહેરમાં છલાંગ લગાવતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેને લઈ તાત્કાલિક ફાયર વિભાગે જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી હતી. ડૂબેલી માતાની શોધખોળ દરમિયાન માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ નહેરમાં માતાને બચાવવા પડેલા પુત્ર અને પુત્ર વધુ પણ પાણીમાં ડૂબ્યા હતા, જોકે હાલ સુધી પુત્ર અને પુત્રવધુની કોઈ ભાળ મળી નથી.


Spread the love

Related posts

ગુજરાતનાં વધુ 5 શહેરને મળશે મ્યુનિ. કોર્પોરેશન:નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે

Team News Updates

વિશ્વના ટોચના પ્રદૂષિત શહેરો 2023 : વિશ્વના ટોચના 20 પ્રદૂષિત શહેરમાં ભારતના 15 શહેરનો સમાવેશ, જાણો કયા કયા છે શહેર

Team News Updates

અરવલ્લીઃબાયડ તાલુકાના જીતપુર ગામે રસ્તા પૈકીના કેટલાંક દબાણો દૂર કરાતાં કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો સર્જાયા

Team News Updates