News Updates
GIR-SOMNATHGUJARAT

સોમનાથના ધારાસભ્ય દ્વારા રાશન કાર્ડનું અનાજ બંધ થતાં અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોની મીટીંગ દરમિયાન ફોર્મ રજૂ કરવામાં આવેલ

Spread the love

સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમા દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ ઉપર અનાજ બંધ થઈ જતાં રૂબરૂ સર્વે કરી અને જરૂરિયાતમંદ લોકોના ફોર્મ ભરવેલ અને અગાઉ પણ અવાર નવાર રજૂઆતો કરેલ હોવા છ્તા પણ રાશન કાર્ડ ઉપર અનાજ બંધ હોવાથી ગીર સોમનાથ જિલ્લા અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોની મિટિંગમાં ફરીથી તમામ જરૂરિયાતમંદ લોકોના ફોર્મ રજૂ કરવામાં આવેલ અને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ.

સામાન્ય લોકોને રાશન કાર્ડ ઉપર મળતું અનાજ બંધ થયું હોવાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સોમનાથ મત વિસ્તારના જરૂરિયાતમંદ લોકોનો સર્વે કરી ફોર્મ ભરવેલ હતા અને અવાર નવાર રજૂઆતો અને ફોર્મ પણ રૂબરૂ આપેલ હતા, પરંતુ હાલ પણ જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ ઉપર રાશન મળતું ન હોવાથી ગરીબ પરિવારોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવામાં આવે અને રાશન કાર્ડ ઉપર અનાજ મળે તેવા હેતુથી ગીર સોમનાથ જિલ્લા અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોની મિટિંગ દરમિયાન ફરીથી તમામ ફોર્મ રૂબરૂ મીટિંગ માં રજૂ કરેલ અને વહેલી તકે આવા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કાર્ડ ઉપર રાશન આપવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

Gir Somnath:આક્રોશભેર ઉમટી આશા બહેનો જિલ્લા સેવાસદન ખાતે: 500થી વધુ બહેનોએ પડતર માગોને લઈ રેલી સાથે સૂત્રોચ્ચાર કર્યા

Team News Updates

ગૃહ ઉદ્યોગના બનતી અને બાળકોને પ્રિય એવી ‘પેપ્સી’માં મીઠું ઝેર વેચવાનું કારસ્તાન

Team News Updates

Weather:અંબાલાલ પટેલે શું કરી છે આગાહી,ભર શિયાળામાં ગુજરાતમાં પડી શકે છે વરસાદ

Team News Updates