News Updates
GIR-SOMNATHGUJARAT

કોડીનારમાં પથિક સોફ્ટવેરમાં ઉતારૂઓની ઓનલાઈન એન્ટ્રી ન કરતા હોટલ/ગેસ્ટ હાઉસ સંચાલક વિરૂદ્ધ કડક કાર્યવાહી

Spread the love

એસઓજી દ્વારા સઘન તપાસ, સંચાલકોએ પથિક સોફ્ટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી કરવી ફરજિયાત

ગીર સોમનાથ યાત્રાધામમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સાસણ-સોમનાથ વગેરે જેવા પર્યટન સ્થળો પર ફરવા આવતા હોય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખી અને આતંકવાદી ઘટનાઓને અટકાવવા હોટલ/ગેસ્ટહાઉસોના માલિકોએ હોટલમાં રહેતા પર્યટકો પાસેથી આધાર-પુરાવા તેમજ વાહન વગેરેની માહિતીની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના તેમજ એસઓજીના ઈ.પોલીસ ઈન્સ. વી.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ કોડીનારના ગેસ્ટ હાઉસ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં કાજીશેરી કોડીનારના રહેવાસી બહેરૂની આસિફભાઈ અબ્દુલગફારભાઈ જે અંજલી ગેસ્ટ હાઉસનું સંચાલન કરે છે તેમણે ગેસ્ટહાઉસમાં રહેવા આવતા પર્યટકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વગર રૂમ રહેવા માટે આપેલ હોય તેમના વિરૂદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ ક.131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

રેલવેએ ગ્રુપ ‘C’ અને ગ્રુપ ‘D’ પોસ્ટ્સ માટે ભરતીની કરી જાહેરાત, અરજી કરવા માટે આ ડિગ્રી હોવી જરૂરી

Team News Updates

90 વર્ષના નંદુબાની દાનવીરતાઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી 43.5 વીઘા જમીન

Team News Updates

વાવાઝોડું ગુજરાતને ઘસરકો કરશે, પણ જખૌ પર જોખમ:પોરબંદરથી 580 કિમી દૂર, જામનગરમાં ભારે પવન સાથે વરસાદ, જાફરાબાદના દરિયામાં 15 ફૂટથી પણ વધુ મોજા ઉછળ્યા

Team News Updates