News Updates
AHMEDABAD

Ahmedabad ના અસારવા-ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ચિત્તોડગઢ સુધી લંબાવાઈ

Spread the love

પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09543/09544 (79403/79404) અસારવા -ડુંગરપુર-અસારવા ડેમુ સ્પેશિયલ ટ્રેનને 2 જુલાઈ 2023 થી ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી રહી છે.

પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09543/09544 (79403/79404) અસારવા -ડુંગરપુર-અસારવા ડેમુ સ્પેશિયલ ટ્રેનને 2 જુલાઈ 2023 થી ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી રહી છે. અમદાવાદના મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર લંબાવવામાં આવેલ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 09543 અસારવા – ચિત્તોડગઢ ડેમુ સ્પેશિયલ અસારવાથી 02 જુલાઈ 2023 થી દરરોજ 10:05 કલાકે ઉપડશે અને 20:05 કલાકે ચિત્તોડગઢ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09544 ચિત્તોડગઢ – અસારવા ડેમુ સ્પેશિયલ 02 જુલાઈ, 2023 થી દરરોજ ચિત્તોડગઢથી 09:15 કલાકે ઉપડશે અને 19:10 કલાકે અસારવા પહોંચશે.
  • ટ્રેન નંબર 09543/09544 નો પરિચાલન સમય અને સ્ટોપેજ અસારવા-હિંમતનગર વચ્ચે યથાવત રહેશે. હિંમતનગરથી ચિત્તોડગઢ વચ્ચે આ ટ્રેન વનતાડા, રાયગઢ રોડ, સુનક, શામળાજી રોડ, લુસાડિયા, જગાબોર, બિછીવાડા, શ્રી ભવનાથ, શાલાશાહ થાણા, ડુંગરપુર, કોતાના, રીખભદેવ રોડ, કુંડલગઢ, સેમારી, સુરખંડ કા ખેડા, જયસમંદ રોડ, પાડલા, જાવર, ખારવા ચાંદા, ઉમરા, ઉદયપુર સિટી, રાણાપ્રતાપ નગર, માવલી જં, ફતેહનગર, ભૂપાલ સાગર, કપાસણ, પાંડોલી, નેતાવલ અને ઘોસુંડા સ્ટેશનો પર થોભશે.

 ગાંધીગ્રામ-બોટાદ સ્પેશિયલ અને ધ્રાંગધ્રા-બોટાદ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝન પરથી દોડતી ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ અને ધ્રાંગધ્રા-બોટાદ-ધ્રાંગધ્રા સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ લંબાવેલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  •  ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ જે 30 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 30 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
  •  ટ્રેન નંબર 09213/09214 બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ સ્પેશિયલ જે 30 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 30 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.

Spread the love

Related posts

અમારા આદેશ આખા દેશને લાગુ પડશે :કોર્ટે કહ્યું- ભારત બિનસાંપ્રદાયિક દેશ છે

Team News Updates

વડાપ્રધાનની ડિગ્રી માગવાનો કેસ:દિલ્હીના CM કેજરીવાલે વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં ચુકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરાવી, 30 જૂને સુનાવણી

Team News Updates

Ahmedabad:ભરતી કરવા માગ શિક્ષકોની :યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરવા શૈક્ષિક સંઘનો શિક્ષણ મંત્રીને પત્ર

Team News Updates