News Updates
GUJARAT

કોમર્સ કોલેજ ગોધરા ખાતે નેતૃત્વ વિકાસ કાર્ય શાળા યોજાઈ

Spread the love

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમના ઉપક્રમે નેતૃત્વ વિકાસ કાર્યશાળા વિવેકાનંદ કેન્દ્ર વડોદરા દ્વારા આયોજિત કરાઈ હતી. વિવેકાનંદ કેન્દ્ર ના અખંડ પંચમહાલ એટલે કે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પૂર્ણકાલીન કાર્યકર્તા એવા રાજનભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ રોશનભાઈ ચૌહાણ કે જેઓ વિવેકાનંદ કેન્દ્રના સહસંયોજક છે અને ગોધરા રેલવેમાં ફરજ બજાવે છે તેઓ શ્રી તથા ડો.જયદીપભાઇ સોની જેવો પણ રેલ્વેના કર્મચારી છે અને સક્રિય કાર્યકર છે તેઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ખૂબ જ કીમતી માહિતી પૂરી પાડી હતી .

કુલ ચાર ચરણોમાં યોજાનારી આ તાલીમના પ્રથમ ચરણની નેતૃત્વ વિકાસ કાર્યશાળા બાદ બીજા ચરણમાં તેઓને રતનમહાલ એટલે કે રીછ અભયારણ્ય દેવગઢબારિયા ખાતે લઈ જવામાં આવશે, ત્યારબાદ બીજા બે ચરણોમાં થઈને સંપૂર્ણ તાલીમ આપી વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ કરાશે.


આ તાલીમમાં ખાસ કરીને જાહેર ભાષણ, ટીમવર્ક, આત્મવિશ્વાસ, ટાઈમ મેનેજમેન્ટ ,વિવિધ પડકારોનો સામનો સમસ્યાઓ હલ કરવાની કુશળતા, સર્જનાત્મકતા વિગેરે બાબતો અંગે ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત કોલેજના આચાર્ય અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આભાર વિધિ સંપન્ન કરી હતી.

અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)


Spread the love

Related posts

3 વર્ષના કૃણાલની ચકચારી હત્યાનો પર્દાફાશ:માતા જ પુત્રના મૃતદેહને ખભે ઊંચકી ઘરે લઈ ગઈ, પતિને કહ્યું અકસ્માતમાં મરી ગયો; CCTVની એક નાની જલકે ખોલ્યો હત્યાનો ભેદ

Team News Updates

જોખમી જાહેર કરી Paracetamol Tablet સ્વાસ્થ્ય માટે, 50 થી વધુ દવાઓ ટેસ્ટમાં થયા ફેલ Paracetamol Tablet સહિત

Team News Updates

વરસાદમાં ગાડી ચલાવતા સમયે આ ધ્યાન રાખો:હંમેશાં પાણી કાઢીને જ ગાડી સ્ટાર્ટ કરો, આ ઉપાયથી ચીકણા રસ્તા પર સ્લીપ નહીં થાઓ

Team News Updates