News Updates
NATIONAL

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, 24 કલાકમાં 9 લોકોનાં મોત:ઋષિકેશ-હલ્દવાણીમાં 200 લોકોને બચાવ્યા; ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Spread the love

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા અને 12 લોકો ઘાયલ થયા છે. ઋષિકેશના ધલવાલા અને ખારા વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો. મોડી રાત્રે SDRFએ અહીંથી 50 લોકોને બચાવ્યા.

હલ્દવાણીમાં પાણીમાં ફસાયેલા 150 લોકોને બચાવી લેવાયા છે. રાજ્યના નૈનીતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર અને પૌડી જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ હિમાચલમાં 24 જૂનથી અત્યાર સુધીમાં લગભગ 223 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, 295થી વધુ લોકો ઘાયલ થયા છે. 800 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા અને 7500 મકાનો જર્જરિત થઈ ગયા છે.

બીજી તરફ દિલ્હીમાં પૂર મામલે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે ચીફ એન્જિનિયર સંદીપ તનેજાને સસ્પેન્ડ કરી દીધા છે. સંદીપ પર ITO યમુના બેરેજના 4 દરવાજા ન ખોલવાનો આરોપ છે, જેના કારણે દિલ્હીમાં પૂર આવ્યું હતું.

ભારે વરસાદ પડશેઃ જમ્મુ-કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ.

મધ્યમ વરસાદ પડશે: કેરળ, છત્તીસગઢ, ઝારખંડ, પૂર્વ મધ્યપ્રદેશ.

ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મેઘરાજાએ શરૂઆતથી ગુજરાતની ચારેય દિશામાં ધોધમારથી લઈને સાંબેલાધાર વરસાદ વરસાવ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એકથી બે સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હાલ રાજસ્થાન તરફ એક સર્ક્યુલેશન સક્રિય છે ત્યારે આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે.

5 દિવસ વરસાદની સિસ્ટમ એક્ટિવ થવાની સંભાવના નથી
મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદ નહીં રહે, પરંતુ રાજ્યમાં છૂટો છવાયો વરસાદની સંભાવના છે. અગાઉ ત્રણ તબક્કા દરમિયાન સૌરાષ્ટ્રમાં સિઝનનો સામાન્ય કરતા ઘણો વધુ વરસાદ થયો છે. પાંચ દિવસ પછી પણ વરસાદ આપનારી સિસ્ટમ એક્ટિવ થવાની સંભાવનાઓ નથી.

મધ્યપ્રદેશમાં આગામી 5 દિવસ એટલે કે 13-14 ઓગસ્ટ સુધી ભારે વરસાદ નહીં થાય. ચોમાસાના વિરામને કારણે ઓગસ્ટના બીજા સપ્તાહમાં રાજ્ય સૂકું રહેશે. વરસાદ ન થવાને કારણે દિવસનું તાપમાન વધશે.

સોયાબીન અને કઠોળ જેવા પાક પર પણ સંકટ આવશે. છોડ સુકાઈ જવાની, જંતુઓ દ્વારા હુમલો કરવા અને ઘાટીલા થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ પાક બચાવવા માટે પગલાં ભરવા પડશે.

હરિયાણામાં 10 જિલ્લામાં યલો એલર્ટઃ 5માં ભારે વરસાદની સાથે 30થી 40KMની ઝડપે પવન ફૂંકાશે

હરિયાણામાં આજથી ફરી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, ઉત્તર હરિયાણાના 5 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં 44% વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 337.9 મીમી વરસાદ નોંધાયો છે.


Spread the love

Related posts

પત્ની પર નજર રાખવા CCTV લગાવ્યાં:પતિના અનેક સ્ત્રી સાથે લફરાંનું કહેતા સાસુએ કહ્યું- આજના જમાનામાં આ નોર્મલ છે, પરિણીતાને દીકરી સાથે ઘરમાંથી કાઢી મુકી

Team News Updates

દલાઈ લામાએ કર્યો મોટો ખુલાસો, ચીન પર કહી આ મોટી વાત

Team News Updates

સચિન પાયલટે પત્ની સારા સાથે છૂટાછેડા લીધા:ચૂંટણીમાં આપેલા સોગંદનામામાં લખ્યું- ડિવોર્સ્ડ, 19 વર્ષ પહેલા લગ્ન થયા હતા

Team News Updates