ભાવનગર JEE મેઈન પરીક્ષાનો પ્રારંભ, 750 વિદ્યાર્થીઓએ તમામ નિયમના પાલન સાથે ઓનલાઈન પરીક્ષા આપી

0
280

ભાવનગરની જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજને JEE મેઈન પરીક્ષા કેન્દ્રની મંજૂરી મળી છે

  • માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સની જાળવણીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું

ભાવનગરના સીદસર રોડ આવેલી જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ ખાતે આજથી JEE મેઈન પરીક્ષાનો બે તબક્કામાં પ્રારંભ થયો છે. કોરોના સંક્રમણને લઈ સરકારની ગાઈડલાઈન અનુસાર તમામ પ્રકારના નિયમના પાલન સાથે પ્રારંભ થયો છે. આ પરીક્ષામાં કુલ 750 વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી રહ્યા છે . જેમાં વિદ્યાર્થીઓએ તમામ નિયમોનું પાલન કર્યુ છે.

ગાઈડલાઈન અનુસાર પરીક્ષાનો પ્રારંભ થયો
ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજને JEE મેઈન પરીક્ષા કેન્દ્રની મંજૂરી મળી છે. જેથી આજથી પ્રારંભ થઇ રહેલી JEEની પરીક્ષાના પ્રથમ પેપર આર્કિટેક્ચર & પ્લાનિંગ આપવા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. હાલના સમયમાં કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સની જાળવણીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી
JEEની પરીક્ષા કુલ 750 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે. જેમાં આજે આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગની પરીક્ષામાં નહીંવત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. પેપર સાવ સરળ હોવાથી વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો. કોલેજ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ખાસ લાઈનો દોરવામાં આવી હતી. તેમજ તમામ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી પરીક્ષા આપી હતી.