News Updates
AHMEDABAD

ચણિયાચોળી પર ઉતર્યો નવરાત્રી અને વર્લ્ડ કપના રોમાંચનો રંગ, અમદાવાદના ડિઝાઈનરે તૈયાર કરી ‘વર્લ્ડકપ ચણિયાચોળી’

Spread the love

ODI વર્લ્ડ કપ 2023માં કોઈ ઓપનિંગ સેરેમની નહોતી, પરંતુ ભારત- પાકિસ્તાન મેચ (IND vs PAK) દરમિયાન એક ખાસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેચ જોવા બોલિવૂડ અને ક્રિકેટ જગતના દિગ્ગજ કલાકારો આવશે. આ પહેલા અમદાવાદના ડિઝાઇનરે વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરી છે.

ભારત-પાકિસ્તાન મેચને લઇ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદના ડિઝાઇનરે વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરી છે.

સફેદ ચણિયાચોળીમાં ભારતના તમામ ૧૫ ખેલાડીઓના સ્કેચ જોવા મળ્યા.

15 ખેલાડીઓ સાથે વર્લ્ડકપની ટ્રોફીનો સ્કેચ પણ ચણિયાચોળીમાં રખાયો. ભારતીય ક્રિકેટની બેકબોન વિરાટ કોહલીનો સ્કેચ બેકમાં રખાયો.

ડિઝાઇનરે 8 દિવસમાં 6 કારીગરો પાસેથી વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરાવી હતી.

નવરાત્રિ પૂર્વે મેચ હોવાથી ક્રિકેટ ટીમને ચણિયાચોલીમાં સ્થાન આપ્યું, ટીમ ઇન્ડિયાના બદલે ‘ટીમ ભારત’નું લખાણ પણ લખવામાં આવ્યું.


Spread the love

Related posts

ચીનમાં ફેલાયેલા રોગ સામે લડવા ભારત સજ્જ:આ એક ન્યૂમોનિયા ટાઇપનો જ રોગ છે, ભારતમાં આવે તેવું લાગતું નથી, લોકોએ ડરવાની જરૂર નથી: ઋષિકેશ પટેલ

Team News Updates

નર્મદા ડેમના 10 દરવાજા બપોર સુધીમાં ખોલાશે:મહારાષ્ટ્ર અને મધ્યપ્રેદશમાં ભારે વરસાદથી 1,66,371 ક્યૂસેક પાણીની આવક, સવારે 8 વાગ્યે ડેમની સપાટી 135.42 મીટર નોંધાઈ

Team News Updates

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોલેરો વકર્યો, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુના રોજના 50થી વધુ કેસ

Team News Updates