News Updates
NATIONAL

ઘરમાં એકવાર લગાવી દીધા આ છોડ, તો ફરી ક્યારેય નહીં પડે રુમ ફ્રેશનરની જરુરત

Spread the love

ઘરની હવાને ફ્રેશ બનાવવા માટે તમે ઘરમાંજ કેટલાક છોડ ઉગાડી શકો છો જે હવામાં રહેલ ઝેરી તત્વો અને પ્રદૂષણને દૂર કરે છે અને શુદ્ધ અને સુંગધિત વાતાવરણ ઉભું કરે છે. જણાવેલા છોડને ઘરમાં લગાવવાથી તમે તમારા ઘરને સુંદર અને સુગંધિત બનાવો છો. ચાલો જાણીએ આ છોડ વિશે.

ઘરની અંદરની હવા પણ પ્રદૂષિત થાય છે અને જેમ જેમ પ્રદૂષણનું જોખમ વધે છે તેમ તેમ અનેક બીમારીઓ પણ પકડી લે છે, જો કે આપડે રુમની હવામાં ફ્રેશનેસ લાગે તે માટે રુમફ્રેશનર છાટતા હોઈએ છે. પણ તેમાં પણ કેટલાક પ્રકારના કેમિકલ હોય છે જે નાના બાળકને જલદી અસર કરે છે. ત્યારે ઘરની હવાને ફ્રેશ બનાવવા માટે તમે ઘરમાંજ કેટલાક છોડ ઉગાડી શકો છો જે હવામાં રહેલ ઝેરી તત્વો અને પ્રદૂષણને દૂર કરે છે અને શુદ્ધ અને સુંગધિત વાતાવરણ ઉભું કરે છે. જણાવેલા છોડને ઘરમાં લગાવવાથી તમે તમારા ઘરને સુંદર અને સુગંધિત બનાવો છો. ચાલો જાણીએ આ છોડ વિશે 

આજે અમે તમને એવા જ કેટલાક છોડ વિશે જણાવીશું જેને તમે તમારા ઘરમાં લગાવશો તો તમારા ઘરમાં સુગંધ આવશે. આ છોડ લગાવ્યા પછી તમારે ઘરમાં રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. આ છોડ ખૂબ જ સુંદર લાગે છે અને ઘરની સુંદરતામાં વધારો કરે છે.

જાસ્મિનના છોડની સુગંધ તમને આકર્ષિત કરે છે. તમે તેને કુંડામાં લગાવી શકો છો અને તેને તમારી બાલ્કનીમાં રાખી શકો છો. તેને સૂર્યપ્રકાશની જરૂર છે.

ઘરમાં લીલીનો છોડ લગાવવાથી વાતાવરણ તાજું રહે છે. આ ફૂલના છોડને ઘરમાં લગાવી દીધા બાદ તમારે કોઈ અન્ય સુંગધિત રુમ ફ્રેશનર છાટવાની જરુર નહીં પડે.

પેશન ફ્લાવર જોવામાં ખૂબ જ આકર્ષક છે. આ ફૂલની સુગંધ પણ ખૂબ જ સારી હોય છે. તમે આ ફૂલને ઘરના હોલ અથવા ડાઇનિંગ એરિયામાં લગાવી શકો છો.


Spread the love

Related posts

9 લોકોના કરુણ મોત;કારનો કચ્ચરઘાણ, જાનૈયાઓ ભરેલી કારને ટ્રકે ટક્કર મારી:એકસાથે 7 મિત્રોની અંતિમયાત્રા નીકળી

Team News Updates

આ લીંબુની ખેતીમાં છે ફાયદો જ ફાયદો, એક એકરમાં થશે લાખોની કમાણી

Team News Updates

જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી:છત્તીસગઢમાં ડોંગરગઢના ચંદ્રગિરી તીર્થમાં 3 દિવસના ઉપવાસ બાદ દેહ ત્યાગ કર્યો, બપોરે 1 વાગે અંતિમ સંસ્કાર વિધિ

Team News Updates