News Updates
NATIONAL

વસંતનાં વધામણા:મથુરાથી લઈ વૃંદાવન સુધી ઉત્સવનો ગુલાલ,વ્રજમાં 40 દિવસ સુધી ફાગણ મહોત્સવ

Spread the love

દેશભરમાં બુધવારે વસંતનાં વધામણાં સાથે વસંત પંચમીની ઉજવણી કરાઈ હતી. બીજી તરફ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં વસંત પંચમીના દિવસથી હોળીનો તહેવાર શરૂ થયો છે. બુધવારે વસંત પંચમીના દિવસે મથુરાથી વૃંદાવન સુધી ઉલ્લાસપૂર્વક ગુલાલ ઉડાવવામાં આવ્યો હતો.

આ ઉત્સવ 40 દિવસ સુધી ચાલશે. દર વર્ષે વસંત પંચમીના દિવસે બાંકે બિહારી મંદિરમાં ભક્તો ઠાકુરજી પર રંગબેરંગી અબીર-ગુલાલ ઉડાડે છે. વસંત પંચમીનો દિવસ વ્રજ માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા ઉપરાંત રાધા-કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે.

આ સાથે જ બાંકે બિહારી મંદિરમાં 40 દિવસનો હોળીનો તહેવાર પણ શરૂ થાય છે. આ પછી 20મી માર્ચે એકાદશીથી 24મી માર્ચ ફાલ્ગુન પૂર્ણિમા સુધી ભવ્ય ફાગણ મહોત્સવ ઉજવાય છે. 25મી માર્ચે ધુળેટીના દિવસે ડોલોત્સવ થશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો રંગની પ્રેમવર્ષામાં ભીંજાશે.


Spread the love

Related posts

PM મોદીનું સંબોધન:કહ્યું- ‘ગરીબ, યુવાનો, મહિલાઓ, ખેડૂતો… મારા માટે આ સૌથી મોટી જાતિ છે’, તેમને મજબૂત કરીને ભારતને વિકસિત બનાવીશું

Team News Updates

નરાધમે 4-5 વર્ષના બાળકોને પણ ન છોડ્યા, ભાઈ-ભાભી,પત્ની સહિત આખા પરિવારને કુહાડીથી રહેંસી નાખ્યો,ઘાતકી હત્યા કર્યા બાદ યુવકે ગળેફાંસો

Team News Updates

અજિતના સમર્થકોને નવી ઓફિસની ચાવી ન મળી:અંદરના રૂમ હજુ પણ બંધ છે; શરદ પવાર NCPની બેઠકમાં પહોંચ્યા

Team News Updates