News Updates
NATIONAL

ભાજપ ધરાતું જ નથી, ખડગેના PM પર આકરા પ્રહાર, મોદીએ કહ્યું- લોકો સામેથી અમારી સાથે જોડાવવા ઇચ્છે તો શું કરવું?

Spread the love

કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે કહ્યું હતું કે BJP જે રીતે વિપક્ષી નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી છે એ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. તેમણે PMને કહ્યું- વિપક્ષના નેતાઓને ડરાવી-ધમકાવીને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.

ખડગેએ કહ્યું- સંસદમાં ચાય પે ચર્ચા દરમિયાન તેમણે PMને પૂછ્યું હતું કે ભાજપ અન્ય કેટલા લોકોને ખોટી રીતે જોડશે. અનેક મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી ભાજપ સાથે જોડી રહ્યા છે. મેં PMને પૂછ્યું કે ભાજપની ભૂખ કેટલી છે.

ખડગેએ કહ્યું- પીએમએ મને જવાબ આપ્યો કે જો લોકો BJPમાં જોડાવા માગતા હોય તો હું શું કરી શકું. મેં તેમને કહ્યું- BJPના લોકો નેતાઓ અને મંત્રીઓને ધમકાવીને પાર્ટીમાં જોડાવવા માટે લાવે છે, જેના જવાબમાં પીએમે કહ્યું કે લોકો સરકારનું કામ જોઈને ભાજપમાં જોડાવા ઈચ્છે છે.

ખડગેએ શુક્રવારે મહારાષ્ટ્રના લોનાવલામાં કોંગ્રેસ અધિકારીઓ માટે બે દિવસના ટ્રેનિંગ કેમ્પનું ઉદઘાટન કર્યા પછી આ વાત કહી. અહીં તેમણે કોંગ્રેસનેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણના ભાજપ જોઇનને લઇને કહ્યું હતું કે પાટલી બદલવી કાયરતાની નિશાની છે.

ખડગેએ કહ્યું- જેમને મતદારોએ મોટા નેતા બનાવ્યા, તેઓ ભાગી ગયા
ખડગેએ વિરોધપક્ષ છોડીને ભાજપમાં સામેલ થનારા નેતાઓ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરો અને મતદારોએ કેટલાક લોકોને મોટા નેતા બનાવ્યા, પરંતુ મોટા નેતા બન્યા પછી તેઓ ભાગી ગયા. આ કાયરતાથી ભરેલી ચાલ સિવાય બીજું કંઈ નથી. ખડગેએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે અમારે ડરવાની જરૂર નથી. જો આપણે ડરીએ છીએ તો આપણે નાશ પામીશું, પરંતુ જો આપણે લડીશું તો આપણે જીવીશું અને એક દિવસ જીત આપણી થશે.

અશોક ચવ્હાણ 13 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા હતા
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણ 13 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે કોંગ્રેસના પૂર્વ એમએલસી અમર રાજુલકરે પણ ભાજપનું સભ્યપદ લીધું હતું. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે બંનેને પાર્ટીનું સભ્યપદ મળ્યું.

ચવ્હાણે ભાજપમાં જોડાવાના એક દિવસ પહેલાં 12 ફેબ્રુઆરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, આ સિવાય તેમણે વિધાનસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું હતું. પાર્ટી છોડવા અંગે તેમણે કહ્યું હતું કે તેમને કોઈની સામે કોઈ ફરિયાદ નથી. તેઓ આગામી બે દિવસમાં વધુ નિર્ણય લેશે.

જયરામ રમેશે કહ્યું હતું- આ વોશિંગ મશીનની અસર
અશોક ચવ્હાણના ભાજપમાં જોડાવા પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે આ ખાસ વોશિંગ મશીનની અસર છે. કેટલાક લોકોએ એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે તેમના જવાથી કોંગ્રેસ તૂટી જશે. કોંગ્રેસે તેમની લાયકાતથી પર જનારાઓને ઘણું આપ્યું છે. હજારો યુવાનો દરવાજા ખટખટાવી રહ્યા છે અને આ નેતાઓના કારણે તેમને તક મળી શકી નથી.


Spread the love

Related posts

કાવેરી વિવાદ મામલે ખેડૂતોનું બેંગલુરુ બંધ:તમિલનાડુથી આવતી બસો બંધ, શાળા-કોલેજોમાં પણ રજા; સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે

Team News Updates

ગુજરાતના 56 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને મળશે સેવા પદક:રાજકોટના CP રાજુ ભાર્ગવની અતિ ઉત્કૃષ્ટ સેવા પદક માટે પસંદગી, 15-25 વર્ષની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્ર સરકાર આપે છે

Team News Updates

PM મોદીએ પૂણેના દગડુશેઠ મંદિરમાં પૂજા કરી:મેટ્રોને લીલી ઝંડી આપશે; શરદ પવારની હાજરીમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે

Team News Updates