News Updates
GUJARAT

કેરીના પાક માટે માવઠું બનશે વેરી! ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ

Spread the love

જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45 હજાર હેકટરથી વધુના કેરીના પાકને નુકશાન થઈ શકે છે. કેરીના પાકના ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે 30 હજારનો ખર્ચ આવે છે. ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકામાં માવઠાની અસર જોવા મળી છે. વરસાદી છાંટાના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45 હજાર હેકટરથી વધુના કેરીના પાકને નુકશાન થઈ શકે છે. કેરીના પાકના ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે 30 હજારનો ખર્ચ આવે છે.

ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. કેરી પકવતા ખેડૂતો પર હાલ તો ચિંતાના વાદળ છવાયા છે. વલસાડ પંથકમાં આ વર્ષે ઓછી ઠંડીના કારણે આંબાવાડીમાં ફાલ ઓછો જોવા મળ્યો છે. તો માવઠાના કારણે આંબાવડીમાં રોગના ઉપદ્રવની પણ ભીતિ છે.


Spread the love

Related posts

Mehsana:62.43 લાખનો મુદ્દામાલ જપ્ત,મહેસાણા એલસીબી ટીમે બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ ખાતેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું

Team News Updates

શું તમે પણ વજન ઓછું કરવા માટે સવારના નાસ્તાથી દુર રહો છો, તમારી આ આદત મોંઘી સાબિત થઈ શકે છે

Team News Updates

બનાસકાંઠા જિલ્લામાં જળસંકટના એંધાણ ! વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક બળી જવાના આરે, જગતનો તાત ચિંતિત

Team News Updates