News Updates
GUJARAT

કેરીના પાક માટે માવઠું બનશે વેરી! ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ

Spread the love

જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45 હજાર હેકટરથી વધુના કેરીના પાકને નુકશાન થઈ શકે છે. કેરીના પાકના ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે 30 હજારનો ખર્ચ આવે છે. ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકામાં માવઠાની અસર જોવા મળી છે. વરસાદી છાંટાના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45 હજાર હેકટરથી વધુના કેરીના પાકને નુકશાન થઈ શકે છે. કેરીના પાકના ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે 30 હજારનો ખર્ચ આવે છે.

ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. કેરી પકવતા ખેડૂતો પર હાલ તો ચિંતાના વાદળ છવાયા છે. વલસાડ પંથકમાં આ વર્ષે ઓછી ઠંડીના કારણે આંબાવાડીમાં ફાલ ઓછો જોવા મળ્યો છે. તો માવઠાના કારણે આંબાવડીમાં રોગના ઉપદ્રવની પણ ભીતિ છે.


Spread the love

Related posts

ધો. 1ની વિદ્યાર્થિનીનો શાળામાંથી મૃતદેહ મળ્યો:શિક્ષકો તાળાં મારી ઘરે ચાલ્યા ગયા, પરિવારને લાશ મળી, પીએમ રિપોર્ટ બાદ SPએ કહ્યું- હત્યાનો ગુનો નોંધાશે

Team News Updates

બે સગા ભાઇઓએ અશક્યને શક્ય કરી બતાવ્યું, સફરજનની સફળ ખેતી કરી બન્યા ઉદાહરણરૂપ

Team News Updates

 સૂર્ય ઉપાસનાથી આત્મવિશ્વાસ વધે છે,ગણેશજીની સાથે સૂર્યદેવની પણ વિશેષ પૂજા કરો ,રવિવાર અને ચતુર્થીનો શુભ સંયોગ 

Team News Updates