News Updates
GUJARAT

હાથ પકડીને સૌ નાહતા હતા ને અચાનક ડૂબ્યા,ભાગવત્ કથા પૂર્ણ કરી નદીમાં નાહવા આવ્યા હતા:પિતા, 2 પુત્ર સહિત 7 સંબંધીઓ નર્મદામાં ગરકાવ

Spread the love

સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. બચાવો બચાવોની બૂમો ઊઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં ત્રણ નાનાં બાળકો હતાં. સ્થનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો. હજુ 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ છે. રાજપીપળા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. જો કે હજુ સુધી કોઈ તરવૈયાની ટીમ બચાવ માટે આવી નથી.

  1. ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (45 વર્ષ)
  2. આરનવ ભરતભાઈ બલદાણિયા (12 વર્ષ)
  3. મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (15 વર્ષ)
  4. વ્રજભાઈ હિંતમભાઈ બલદાણિયા (11 વર્ષ)
  5. આર્યન રાજુભાઈ ઝીંઝાળા (7 વર્ષ)
  6. ભાર્ગવ અશોકભાઈ હદીયા (15 વર્ષ)
  7. ભાવેશ વલ્લભભાઈ હદીયા (15 વર્ષ)
  8. તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરત

Spread the love

Related posts

EXCLUSIVE: ભાજપને JUNAGADHમાં મુશ્કેલી કરાવશે કોંગ્રેસનાં આ લોકનાયક..

Team News Updates

નવો પ્રોજક્ટ Suzuki અને Banas Dairy નો, કરશે શરૂઆત  5 બાયો CNG પ્લાન્ટની

Team News Updates

સોમનાથ મહાદેવના દર્શન કરી જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 તાલીમાર્થીઓ સહિત રેન્જ આઇ.જી એ ધ્વજાપૂજા કરી

Team News Updates