News Updates
NATIONAL

 Banaskantha:મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, કોલેરાથી  વધુ એકનું મોત પાલનપુરમાં

Spread the love

પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે. કોલેરાને લઈ છેલ્લા બે સપ્તાહ ઉપરાંતથી વિસ્તારમાં આરોગ્ય સહિતની સ્થાનિક ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સફાઈ અને ગંદકી સહિતના બાબતની સ્થાનિકોએ પાલિકા સહિત સ્થાનિક તંત્ર પર આક્ષેપો કરવામાં આવી છે. 300 થી વધારે દર્દીઓ કોલેરા ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે. કોલેરાને લઈ છેલ્લા બે સપ્તાહ ઉપરાંતથી વિસ્તારમાં આરોગ્ય સહિતની સ્થાનિક ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સફાઈ અને ગંદકી સહિતના બાબતની સ્થાનિકોએ પાલિકા સહિત સ્થાનિક તંત્ર પર આક્ષેપો કરવામાં આવી છે. 300 થી વધારે દર્દીઓ કોલેરા ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની 25 સહિત 35 જેટલી ટીમો સ્થાનિક રોગચાળા વિસ્તારોમાં કામે લાગી છે.

કોલેરાને લઈ વધુ એક મૃત્યુ થયાનું સામે આવ્યું છે. મંગળવાર રાત્રે પણ એક મહિલાનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં કોલેરાને લઈ ચાર લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો છે. કોલેરાને લઈ સ્થાનિક તંત્ર સામે પણ રોષ ફેલાયો છે અને નક્કર કાર્યવાહીની માંગ વર્તાઈ રહી છે.


Spread the love

Related posts

ખેડૂતો ઉનાળુ મગમાં છાંટી રહ્યા છે દેશી દારૂ, કારણ જાણી રહી જશો દંગ

Team News Updates

Weather:દ. ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના,તાપમાનમાં વધારો પવનોની દિશા બદલાતા બફારા સાથે

Team News Updates

14 દિવસ માટે જેલમાં મોકલાયેલા ચંદ્રબાબુ નાયડુને સ્પેશિયલ રૂમ, ઘરનું ભોજન, જેલમાં પણ કેમ મળી રહી છે સ્પેશલ ટ્રીટમેન્ટ ?

Team News Updates