News Updates
NATIONAL

 Banaskantha:મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, કોલેરાથી  વધુ એકનું મોત પાલનપુરમાં

Spread the love

પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે. કોલેરાને લઈ છેલ્લા બે સપ્તાહ ઉપરાંતથી વિસ્તારમાં આરોગ્ય સહિતની સ્થાનિક ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સફાઈ અને ગંદકી સહિતના બાબતની સ્થાનિકોએ પાલિકા સહિત સ્થાનિક તંત્ર પર આક્ષેપો કરવામાં આવી છે. 300 થી વધારે દર્દીઓ કોલેરા ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે. કોલેરાને લઈ છેલ્લા બે સપ્તાહ ઉપરાંતથી વિસ્તારમાં આરોગ્ય સહિતની સ્થાનિક ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સફાઈ અને ગંદકી સહિતના બાબતની સ્થાનિકોએ પાલિકા સહિત સ્થાનિક તંત્ર પર આક્ષેપો કરવામાં આવી છે. 300 થી વધારે દર્દીઓ કોલેરા ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની 25 સહિત 35 જેટલી ટીમો સ્થાનિક રોગચાળા વિસ્તારોમાં કામે લાગી છે.

કોલેરાને લઈ વધુ એક મૃત્યુ થયાનું સામે આવ્યું છે. મંગળવાર રાત્રે પણ એક મહિલાનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં કોલેરાને લઈ ચાર લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો છે. કોલેરાને લઈ સ્થાનિક તંત્ર સામે પણ રોષ ફેલાયો છે અને નક્કર કાર્યવાહીની માંગ વર્તાઈ રહી છે.


Spread the love

Related posts

 પેટીએમના શેરને પાંખો લાગી સેમસંગ હાથ મિલાવતા ,ઉછળ્યો સ્ટોક 9 ટકા સુધી

Team News Updates

એક દિવસમાં સુરતમાં બીજી હત્યા:બે મિત્રો યુવકને ચા પીવાનું કહી દારૂના અડ્ડા પર લઈ ગયા, આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

Team News Updates

વિદેશમાં બેઠાં-બેઠાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણો:પશ્ચિમ ભારતની પહેલી યુનિવર્સિટી, જે ઓનલાઇન કોર્સ ભણાવશે, 1 જૂન પહેલાં એડમિશન પ્રક્રિયા શરૂ

Team News Updates