News Updates
GUJARAT

Dahod:નયનરમ્ય નજારો દાહોદના ધોધનો :ચોસલા ગામ પાસે આવેલા પૌરાણિક કેદારનાથ મહાદેવનો ધોધ જીવંત બનતા ખળખળ પાણી વહેતા થયા

Spread the love

દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા પુનઃ મહેરબાન થતાં બે દિવસમાં દાહોદમાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં હતાં. આજે વહેલી સવારથી વીજળીના કડાકા, ધડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં દાહોદ શહેર નજીક આવેલા ચૌસાલા ગામે પૌરાણિક કેદારનાથ મહાદેવનો ધોધ શરુ થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

દાહોદ જીલ્લામા મેઘમહેર થતા ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે ત્યારે દાહોદ નજીક આવેલા ચોસાલા ગામે આવેલા કેદારનાથ મહાદેવ મંદિર ખાતે આવેલો કુદરતી ધોધ શરુ થતા આર્કષણ જમાવી રહયો છે. દાહોદ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાવત્રિક વરસાદના કારણે નદી નાળા કોતરો છલકાઈ ગયા છે. ત્યારે દાહોદ નજીક આવેલા ચોસાલા ગામ ખાતે આવેલું પૌરાણિક કેદારનાથ મહાદેવના મંદિરે ઉપરથી પડતો ધોધ સોહામણો લાગી રહયો છે. આ ધોધને નિહાળવા તેમજ કેદારનાથ મહાદેવના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં. કેદારનાથના મહાદેવ મંદિર ખાતે ચોમાસાની ઋતુ બાદ પણ ચોવીસ કલાક મંદિરના ઉપરના ભાગે આવેલા પથ્થરોમાંથી કુદરતી રીતે પાણીની ધારાઓ વહેતી રહે છે. પણ ચોમાસામાં આહલાદક નજારો જોવા મળે છે. કેદારનાથના ધોધ જોવા આવેલાં સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે આજે પ્રથમવાર કેદારનાથ મંદિરના પથ્થરોમાંથી પાણી વહેતા ધોધ શરુ થયો હતો, ધોધ શરુ થતા કુદરતી સૌંદર્યમા વધારો થતા આહલાદક દૃશ્યો સર્જાયા હતા.


Spread the love

Related posts

GUJARAT:ઓક્ટબરથી ચોમાસુ વિદાય લેશે;હજુ એક રાઉન્ડ આવી શકે છે ગુજરાતમાં વરસાદનો ,સપ્ટેમ્બરના છેલ્લા સપ્તામાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

Team News Updates

ખેલાડીઓને જે ગોલ્ડ મેડલ આપવામાં આવે છે તેમાં કેટલું સોનું હોય છે ? જાણો

Team News Updates

વેરાવળ : ઘરેથી ભાગી ગયેલી સગીર છોકરીને રેલવે કર્મચારીએ ચાઈલ્ડ લાઈનને સોંપી

Team News Updates