News Updates
RAJKOT

જલારામ જયંતિની ઉજવણી વીરપુર પહોંચ્યા 45 સાયકલ સવાર 500 કિલોમીટરનું અંતર કાપી:એક એક કિલોની કેકના 225 ટૂકડા રાખી કેક કટિંગ કરાઈ

Spread the love

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ વિદેશમાં પ્રસિદ્ધ સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જ્યંતીને લઈને યાત્રાધામ વીરપુરમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.

જલારામ બાપાની 225મી જન્મ જ્યંતીની ઉજવણી નિમિતે 225 કિલોની કેક કાપીને ભક્તોને પ્રસાદી તરીકે વિતરણ કરાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 225મી જન્મ જયંતિ હોવાથી ક્રમપ્રમાણે 225 નંબર રાખી એક એક કિલોની કેકના ટૂકડા રખાયા હતા અને જલારામ બાપાની આરતી ઉતારી કેક કટિંગ કરાઈ હતી. જેને ઉપસ્થિત તમામ ભક્તોએ પ્રસાદી તરીકે આરોગી હતી.

જલારામ બાપાની જયંતિ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જય જલારામના નાદથી વીરપુર ગુંજી ઉઠ્યું છે અને ઠેર-ઠેર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો. જલારામ જયંતિ નિમિત્તે વિરપુર પગપાળા અને સાયકલ દ્વારા અનેક સંઘો આવે છે. સાયકલ સવાર સંઘ પટેલ બ્રધર્સ ગ્રુપ સતત ત્રીજા વર્ષે સુરતના ઉનથી વિરપુર પહોંચ્યું છે. 45 સાયકલ સવાર ચાર દિવસમાં 500 કિલોમીટરનું અંતર કાપી જલારામ બાપાના દર્શન કરવા પહોંચ્યા હતા.


Spread the love

Related posts

12 વર્ષની સાળી ઉપર જીજાએ નજર બગાડી,સાળાને જાણ થતા બનેવી સામે ફરિયાદ નોંધાવી, બીભત્સ માંગણીઓ કરી;બહેનનું લગ્નજીવન ટકાવવા સગીરાએ…!

Team News Updates

કોણ ઓળવી ગયું સ્મશાનના લાકડા ?RMCનાં ગાર્ડન શાખાએ બોરોબાર વહિવટ કર્યાનો આક્ષેપ;તમારે પણ એકદિવસ મરવાનું છે,વિપક્ષ નેતાએ ભ્રષ્ટાચારીઓને કહ્યું- જરા તો શરમ કરો

Team News Updates

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભાદરવાના બફારામાં ખેલાડીઓએ પરસેવો પાડ્યો, ભારતની ટીમ સાંજે પ્રેક્ટિસ કરશે

Team News Updates