News Updates
SAURASHTRA

સુરતમાં 24 કલાકમાં આપઘાતના 4 બનાવ:ઘરેથી મોર્નિંગ વોકમાં નીકળેલા કાપડ દલાલે રસ્તામાં એસિડ ગટગટાવ્યું, મહિલાએ બીજા માળેથી ઝંપલાવ્યું તો બેએ ગળેફાંસો ખાધો

Spread the love

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ ચાર આપઘાતના બનાવ સામે આવ્યા છે, જેમાં સવારે ઘરેથી મોર્નિંગ વોકમાં નીકળેલા કાપડ દલાલે રસ્તામાં એસિડ ગટગટાવી લેતાં મોત નીપજ્યું હતું. તો બીજા બનાવમાં 17 વર્ષીય સગીરે ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ત્રીજા બનાવમાં મહિલાએ ત્રીજા માળેથી ઝપંલાવી લેતાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. ચોથી ઘટનામાં મહિલાએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. 24 કલાકમાં અપમૃત્યુના ચાર બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.

કાપડ દલાલે એસિડ ગટગટાવી આપઘાત કર્યો
મૂળ હરિયાણાના વતની પૂનમચંદ્ર પ્રેમરતન રાઠી (ઉં.વ. 56) પરિવાર સાથે અલથાણ-ભીમરાડ રોડ સ્થિત ઇકો પોઇન્ટમાં રહેતા હતા અને કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દરમિયાન સવારે ઘરેથી મોર્નિંગ વોકમાં નીકળેલા પૂનમચંદ્ર રાઠીએ ભગવાન મહાવીર કોલેજ નજીક એસિડ ગટગટાવી લીધું હતું. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી.

17 વર્ષીય સગીરે આપઘાત કર્યો
સુરતના ઉન વિસ્તારમાં 17 વર્ષીય સગીરે આપઘાત કર્યો હતો. સગીરે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સગીર ઉન નાકા ખાતે ગેસ વેલ્ડિંગનું કામ કરતો હતો. રાત્રે એકલતાનો લાભ લઈને ફાંસો ખાઈ લીધો હતો. સવારે ભાઈને નાનો ભાઈ લટકતી હાલતમાં મળ્યો હતો. ત્યાર બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું.

બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત
વેસુ સ્થિત સ્વાગત ક્લિપટોનમાં રહેતાં ગીતાદેવી મોહનલાલ કાનોડિયા (ઉં.વ. 75)એ પોતાના ઘરે બીજા માળેથી ઝંપલાવી દીધું હતું. એને લીધે તેમને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાતાં તબીબોએ મૃત ઘોષિત કર્યા હતા. ગીતાદેવી બીમાર રહેવા સાથે ચાલવામાં તકલીફ અનુભવતા હોવાથી કંટાળી જઈ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

મહિલાના આપઘાતનું કારણ અકબંધ
રાંદેર સ્થિત તુલસી ભવન એપાર્ટમેન્ટમાં રહેતી કૈલાસબેન ઠાકોરભાઈ પટેલ (ઉં.વ. 63)એ ઘરમાં ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. તેમના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. આમ, શહેરમાં જુદા જુદા બનાવમાં 4 વ્યક્તિએ આપઘાત કરી જીવનલીલા સંકેલી લીધી હતી.


Spread the love

Related posts

JUNAGADH: પોલીસનો સન્માનનો અભિગમ કર્મચારીઓને કર્તવ્ય માટે પ્રેરણા પૂરી પાડશે…

Team News Updates

ટ્રિપલ અકસ્માત, મુસાફરોના જીવ અધ્ધર થયા:નડિયાદના જોરાપુરા પાસે બ્રેક ડાઉન થયેલા ટ્રક પાછળ એસટી બસ અથડાઈ, જોત જોતામાં બસની પાછળ ધડામ કરતું ટ્રેલર અથડાયું

Team News Updates

કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક:મહેસાણાના ત્રણ શખસોએ 60 લાખ લઇ ટેક્સીથી અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી, પછી કેનેડાથી હોડીમાં બેસાડ્યા ને મોત મળ્યું

Team News Updates