News Updates
NATIONAL

વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, 150 કિલો ઘી સીઝ કરાયું

Spread the love

વડોદરાના (Vadodara) મદનઝામ્પા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલી કનૈયાલાલ રામજીભાઈ ગાંધી નામની દુકાનમાં ગઇકાલે તપાસ કરવામાં આવી હતી.

વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગે (Health Department) દરોડા પાડ્યા હતા. વડોદરાના મદનઝામ્પા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલી કનૈયાલાલ રામજીભાઈ ગાંધી નામની દુકાનમાં ગઇકાલે તપાસ કરવામાં આવી હતી. અહીં સસ્તાદરે વનસ્પતિ ઘીનું વેચાણ થતુ હોવાની શંકાના આધારે આરોગ્ય વિભાગે તપાસ કરી છે. દુકાનમાંથી ઘીના (ghee) સેમ્પલ લઈને 10 ડબ્બા સીઝ કર્યા છે. અંદાજે 150 કિલો જેટલું વનસ્પતિ ઘી સીઝ કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગને માહિતી મળ હતી કે આ વેપારી સસ્તા ભાવે ઘી વેચતા હતા. કિલોના રુપિયા 30 ઓછા લઇને ઘી વેચવામાં આવતુ હતુ. જેથી આરોગ્ય વિભાગે કનૈયાલાલ રામજીભાઈ ગાંધી દુકાનમાં તપાસ હાથ ધરી હતી.


Spread the love

Related posts

હિમાચલમાં વરસાદ અને હિમવર્ષાનું યલો એલર્ટ:રોહતાંગમાં અવરજવર બંધ; પ્રવાસીઓને પહાડી વિસ્તારોમાં ન જવાની સલાહ

Team News Updates

મથુરામાં મોટી દુર્ઘટના ટળી, પાટા પરથી પ્લેટફોર્મ પર ચઢી ગઈ ટ્રેન, સ્ટેશન પર મચી ભાગદોડ

Team News Updates

મુખ્યમંત્રી ઘર ખાલી કરશે દિલ્હીના પૂર્વ CM કેજરીવાલ:પાર્ટીએ કહ્યું- લ્યુટિયન્સ દિલ્હીમાં ઘર ફાઇનલ થયું છે, તે પાર્ટી હેડક્વાર્ટરની નજીક જ છે

Team News Updates