News Updates
ENTERTAINMENT

‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’નું ટીઝર રિલીઝ:મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર કરેલા આક્રમણ પર આધારિત છે આ ફિલ્મ, જે સમગ્ર ભારતમાં 12 ભાષાઓમાં રિલીઝ થશે

Spread the love

સમગ્ર ભારતની ફિલ્મ ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ શનિવારે એનિમેટેડ ટીઝર રિલીઝ કરીને ફિલ્મની જાહેરાત કરી હતી.

ટીઝરમાં પ્રથમ જ્યોતિર્લિંગની કથા બતાવવામાં આવી છે
ટીઝરમાં નિર્માતાઓએ ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગની કથા દર્શાવી છે. એવું કહેવામાં આવે છે કે સતયુગમાં ચંદ્રદેવે તેને સોનામાંથી બનાવ્યું હતું. આ પછી રાવણે ત્રેતાયુગમાં તાંબાનું બનાવેલું અને પછી દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણએ તેને લાકડાનું બનાવ્યું.

આ ફિલ્મ મહમૂદ ગઝનવીના આક્રમણ પર આધારિત છે
ફિલ્મની વાર્તા ઈ.સ. 1025માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર કરાયેલા હુમલાની આસપાસ વણાયેલી છે. ટીઝરમાં મેકર્સે બતાવ્યું છે કે, ઇતિહાસમાં આ એકમાત્ર યુદ્ધ હતું જે સામાન્ય લોકોએ સાથે મળીને લડ્યું હતું. આ યુદ્ધમાં 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પુનર્નિર્માણનો પણ ઉલ્લેખ કર્યો
એવું કહેવાય છે કે, ગઝનવીએ સોમનાથ મંદિરમાંથી 20 લાખ દિનારની સંપત્તિ લૂંટી હતી. આ સાથે તેણે મંદિરની મૂર્તિઓ અને જ્યોતિર્લિંગના ટુકડા કરી નાખ્યા.

ફિલ્મના ટીઝરમાં સોમનાથ મંદિર પર હુમલા બાદ થયેલા પુનઃનિર્માણનો પણ ઉલ્લેખ છે. છેલ્લી વખત તેનું નવીનીકરણ ભારતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

12 ભાષાઓમાં રિલીઝ થશે
તેનું નિર્માણ ‘2 ઇડિયટ ફિલ્મ્સ’ અને મનીષ મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે, આ ફિલ્મ અનૂપ થાપા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. તે 12 ભાષાઓમાં રિલીઝ થશે.


Spread the love

Related posts

પાકિસ્તાન બોર્ડને ભારત આવવાનો ડર, સિક્યોરિટી ટીમ મોકલશે:કહ્યું- વર્લ્ડ કપ પહેલા શહેરોની તપાસ કરવી જરૂરી, ખામી હશે તો વેન્યૂ ચેન્જ કરાવીશું

Team News Updates

IPL 2024ની 10 ટીમના માલિકો ની જાણીએ સંપતિ, તેમાં સૌથી અમીર  કોણ

Team News Updates

60 કરોડ રૂપિયાનું નવું ઘર ખરીદ્યું ​​​​​​​મુંબઈમાં શાહિદ-મીરાએ:એક્ટરે 1.75 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી,આ એપાર્ટમેન્ટ 5,395 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે

Team News Updates