News Updates
INTERNATIONAL

ઈરાકમાં મેરેજ હોલમાં આગ, 100નાં મોત:150થી વધુ ઘાયલ, આતશબાજીના કારણે હોલમાં ભભુકી ઉઠી આગ; બચાવ કાર્ય ચાલુ

Spread the love

ઇરાકમાં બુધવારે એક મેરેજ હોલમાં લાગેલી આગમાં 100 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં વર-કન્યાને પણ ઈજા થઈ છે.

એક અધિકારીએ જણાવ્યું કે આગ ઇરાકના નિનેવેના હમદાનિયા વિસ્તારમાં લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આતશબાજી બાદ મેરેજ હોલમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે લગભગ 1,000 લોકો અહીં હાજર હતા.

રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી
આગની માહિતી મળતાની સાથે જ અનેક ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. લગ્નમંડપ સંપૂર્ણ ખંડેર હાલતમાં છે. રેસ્ક્યુ ટીમ અહીંથી મૃતદેહોને બહાર કાઢી રહી છે.

ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ અધિકારીઓને લોકોને વહેલી તકે મદદ પહોંચાડવા સૂચના આપી છે. તેમજ સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જુલાઈ 2021: કોવિડ હોસ્પિટલમાં આગમાં 58 લોકોના મોત થયા
જુલાઇ 13, 2021 ના ​​રોજ, ઇરાકના દક્ષિણી શહેર નસિરિયાહની અલ-હુસૈન કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 2 આરોગ્ય કર્મચારીઓ સહિત 58 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. કોવિડ વોર્ડમાં ઓક્સિજન ટેન્કમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતકોને ઈરાકના નજફમાં દફનાવવામાં આવ્યા હતા.

આ અકસ્માત બાદ વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીએ વરિષ્ઠ મંત્રીઓની બેઠક બોલાવી હતી. જેમાં નસીરિયા હોસ્પિટલના સિક્યુરિટી મેનેજરને સસ્પેન્ડ અને ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

એપ્રિલ 2021: કોરોના હોસ્પિટલમાં આગમાં 82 લોકોના મોત
એપ્રિલ 2021 માં, ઇરાકના બગદાદમાં કોવિડ હોસ્પિટલમાં આગમાં 82 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે અહીં અચાનક શોર્ટ સર્કિટ થઈ હતી, જેના કારણે આગ લાગી હતી. આગને કારણે નજીકમાં રાખેલી ઓક્સિજનની ટાંકી ફાટતાં આગ સમગ્ર હોસ્પિટલમાં ફેલાઈ ગઈ હતી.


Spread the love

Related posts

62 લોકોના મોત ,નેપાળમાં ભારે વરસાદે મચાવી તબાહી

Team News Updates

શનિ જયંતિ વિશેષ:તમિલનાડુના આ 700 વર્ષ જૂના મંદિરમાં પત્નીઓ સાથે બિરાજે છે શનિદેવ, સાડાસાતીની મહાદશાથી પીડિત લોકો અહીં દોષ દૂર કરવા આવે છે

Team News Updates

અમેરિકામાં સંત બન્યા 30 યુવાન, સેવા ભક્તિ અને વિશ્વ કલ્યાણ માટે જીવન કર્યું સમર્પિત

Team News Updates