News Updates
AHMEDABAD

ચોમાસા બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, સપ્ટેમ્બર માસમાં 700થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા

Spread the love

અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને વાઈરલ ફીવરના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો ડબલ સીઝનના કારણે વાઈરલ ફીવરના કેસો વધ્યા છે. રોજના 1200 જેટલા કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યાં છે.અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા છે. તો મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે.

રાજ્યભરમાં ચોમાસા બાદ રોગચાળએ માથું ઉચક્યું છે. તો અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને વાઈરલ ફીવરના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો ડબલ સીઝનના કારણે વાઈરલ ફીવરના કેસો વધ્યા છે. રોજના 1200 જેટલા કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યાં છે.

અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા છે. તો મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળમાં ઝાડા ઉલ્ટીનાં 484 કેસ, કમળાના 192 કેસ અને ટાઇફોઇડના 447 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં પણ વાઇરલ ફીવરના કેસો વધ્યા છે. જ્યારે કોલેરાના કેસોમાં ખૂબ જ વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વધુ કેસ નોંધાયા છે.


Spread the love

Related posts

SVPI Airport:એક કલાકમાં 13 હજાર સ્ક્વેર ફીટને કરશે ચોખ્ખુ,SVPI એરપોર્ટ પર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ તહેનાત

Team News Updates

63 મૂન્સ ટેક્નોલોજીસનો સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, અમદાવાદમાં યોજાશે રોડ શો

Team News Updates

‘કલેક્ટર-CPનું વર્તન ભગવાન-રાજા જેવું’:અમદાવાદ પોલીસે દંપતીને લૂંટ્યાનો કેસ, લોકોને સ્પષ્ટ દેખાય તેમ પોલીસ સામે ફરિયાદ કરવાનો નંબર જાહેર જગ્યાએ લગાવવા HCનો આદેશ

Team News Updates