News Updates
AHMEDABAD

ચોમાસા બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, સપ્ટેમ્બર માસમાં 700થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા

Spread the love

અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને વાઈરલ ફીવરના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો ડબલ સીઝનના કારણે વાઈરલ ફીવરના કેસો વધ્યા છે. રોજના 1200 જેટલા કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યાં છે.અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા છે. તો મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે.

રાજ્યભરમાં ચોમાસા બાદ રોગચાળએ માથું ઉચક્યું છે. તો અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને વાઈરલ ફીવરના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો ડબલ સીઝનના કારણે વાઈરલ ફીવરના કેસો વધ્યા છે. રોજના 1200 જેટલા કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યાં છે.

અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા છે. તો મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળમાં ઝાડા ઉલ્ટીનાં 484 કેસ, કમળાના 192 કેસ અને ટાઇફોઇડના 447 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં પણ વાઇરલ ફીવરના કેસો વધ્યા છે. જ્યારે કોલેરાના કેસોમાં ખૂબ જ વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વધુ કેસ નોંધાયા છે.


Spread the love

Related posts

PM મોદીની ડિગ્રી મુદ્દે યુનિ.નો બદનક્ષી કેસ:13 જુલાઈએ કેજરીવાલ-સંજયસિંહને હાજર થવા કોર્ટનું ફરમાન, કેજરીવાલના વકીલે લાંબી મુદત માંગતા કોર્ટની ટકોર- MP- MLA સામે ઝડપી ટ્રાયલનો પરિપત્ર છે

Team News Updates

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ:તથ્ય પટેલનો કેસ આગામી સપ્તાહે સેશન્સ કમિટ થશે, અરજી તૈયાર, બેથી ત્રણ મુદતમાં ચાર્જ ફ્રેમ પ્રક્રિયા હાથ ધરાશે

Team News Updates

રિપલ પંચાલના જામીન મંજૂર સાત વાહનોને અડફેટ લેનાર:અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીને 15 હજારના જાત મુચરકા શરતી જામીન આપ્યા, પોલીસ આરોપીનું લાઇસન્સ રદ્દ કરશે

Team News Updates