News Updates
AHMEDABAD

અધિક મહિનામાં મહિલા MLAને અધિક ગ્રાન્ટ!:રસ્તા બનાવવા CMએ સવા-સવા કરોડની વધારાની ગ્રાન્ટની જાહેરાત કરી

Spread the love

હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતના મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા ધારાસભ્યોને અધિક ગ્રાન્ટની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં 2023-24ના વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ગ્રાન્ટનો ઉપયોગ મહિલા ધારાસભ્ય પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા સારા બનાવવા પાછળ વાપરી શકશે.

ગુજરાતમાં દરેક મહિલા ધારાસભ્યને ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય
ગુજરાતમાં 15 મહિલા ધારાસભ્ય છે, જેમાં દરેક મહિલા ધારાસભ્યને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે, મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યનાં મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.

વિકાસનાં કામો કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે
લિંબાયતનાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગ દ્વારા મહિલા ધારાસભ્યોને ભેટસ્વરૂપે પોતાના વિસ્તારની અંદર વિકાસનાં કામો કરવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે. પોતાના વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી હોય, સ્માર્ટ સ્કૂલ હોય, પેવર બ્લોકિંગ હોય કે પછી આરસીસી રોડ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. હું મુખ્યમંત્રીનો આભાર માનું છું કે બહેનો માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનાથી પોતાના વિસ્તારમાં ખૂબ અદ્યતન વિકાસનાં કામો કરી શકે.

ગુજરાતમાં 15 મહિલા ધારાસભ્ય

નામબેઠક
સંગીતાબેન પાટીલલિંબાયત
ડો. દર્શિતાબેન શાહરાજકોટ પશ્ચિમ
ભાનુબેન બાબરિયારાજકોટ રૂરલ
ડો.દર્શનાબેન દેશમુખનાંદોદ
ગીતાબા જાડેજાગોંડલ
માલતીબેન મહેશ્વરીગાંધીધામ
મનીષાબેન વકીલવડોદરા
રીવાબા જાડેજાજામનગર ઉત્તર
દર્શનાબેન વાઘેલાઅસારવા
સેજલબેન પંડ્યાભાવનગર પૂર્વ
નિમિષાબેન સુથારમોરવાહડફ
રીટાબેન પટેલગાંધીનગર ઉત્તર
પાયલબેન કુકરાણીનરોડા
કંચનબેન રાદડિયાઠક્કરબાપાનગર
ગેનીબેન ઠાકોરવાવ

Spread the love

Related posts

PM મોદી સાયન્સ સિટીમાં રોબોટ્સ સાથે થયા રૂબરૂ

Team News Updates

ચેતજો જૂની પ્રોપર્ટી લેતા તૈયાર છે  ઠગો ઠગવા: છેતરપિંડી આચરી અમદાવાદમાં મકાન માલિકે ત્રણ લોકોને બાનાખત કરી આપી

Team News Updates

10 લાખ ભક્તોએ નિશુલ્ક ભોજન-પ્રસાદ લીધો વિશ્વ ઉમિયાધામના ભોજનાલયમાં

Team News Updates