News Updates
AHMEDABAD

અમદાવાદ પોલીસે 750થી વધુ ગુનામાં એક લાખથી વધુ દારૂની બોટલ પર બૂલડોઝર ફેરવ્યું

Spread the love

અમદાવાદ શહેરમાં રોજબરોજ હજારો દારૂની બોટલો ક્યાંક ને ક્યાંક પકડાતી હોય છે. એના કારણે ઘણી વખત પોલીસ સ્ટેશનમાં દારૂના મુદ્દામાલનો ભરાવો થઈ જાય છે. હવે ઘણી વખત એવું પણ બની શકે કે, પકડાયેલો દારૂ તેની મૂળ સંખ્યા કરતાં ઓછો થઈ જાય એવા નવા બહાના સામે આવતા હોય છે. પૂર્વ વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં તો એવું બહાનું આવ્યું, કે ઉંદર દારૂ પી ગયા. આવા અલગ અલગ બહાના આવે તે પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂના મુદ્દામાલનો નાશ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમાં પણ કરોડો રૂપિયાની દારૂની બોટલ પર રોલર ફેરવીને એનો નિકાલ કરવામાં આવ્યો છે.

મોટાપાયે દારૂનો નાશ કરાયો
ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં તમે ચાહો ત્યાં દારૂ મળી જાય છે. પોલીસ પોતાની કામગીરી કરે છે અને દારૂ તેમજ ગુનેગારોને પકડે છે. તેમ છતાં મોટા ખેલાડીઓ જેમકે વિનોદ સિંધી જેવા આરોપીઓ વિદેશમાં છુપાઈને બેઠા છે. તેમની નીચેની આખી લાઈન હજી પણ ચાલી રહી છે. એક વખત દારૂની ટ્રકો રાજસ્થાન, મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યમાંથી અહીંયા આવે છે, રસ્તામાં અનેક જિલ્લાઓ આવે છે. કદાચ ત્યાંની પોલીસને તેની માહિતી નહીં હોય, પરંતુ અમદાવાદમાં જ્યારે આ દારૂ પકડાય છે ત્યારે બધાની નજર ને શંકાની સોઈ અલગ અલગ જગ્યાએ ફરવા લાગે છે.

દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાખ્યું
અમદાવાદ શહેર પોલીસે ઝોન 6માં 7 પોલીસ સ્ટેશનમાં આશરે 750 ગુનામાં 1 લાખ 72 દારૂની બોટલ પકડી હતી. જેની અંદાજે કિંમત 2 કરોડ 60 લાખ જેટલી થાય છે. પોલીસે આ તમામ દારૂનો નાશ કર્યો હતો અને તેના પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. અમદાવાદ શહેરમાં હાલ જોન સિક્સ વિસ્તારમાં આ પ્રમાણે દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં અન્ય વિસ્તારમાં પણ આ રીતે દારૂનું નાશ કરવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે.


Spread the love

Related posts

જુનાગઢ બિલ્ડિંગ ધરાશાયી કેસ:એક મહિના પહેલા બિલ્ડિંગ પડવાથી બે બાળક અને પિતાનું મૃત્યુ થતા પત્નીએ પણ આપઘાત કર્યો હતો, ન્યાય માટે પરિવારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

Team News Updates

ત્યજી દેવાયેલું બાળક હવે અમેરિકાની ગલીઓમાં ઘૂમશે:પાલડી બાલભવનમાંથી NRI દંપતીએ 6 વર્ષનું બાળક દત્તક લીધું, આજે અમદાવાદના નિવાસ્થાને પૂજા કરી રૂદ્રનો ગૃહપ્રવેશ કરાવ્યો

Team News Updates

સ્વામિનારાયણ મંદિરના રેસ્ટોરન્ટના ફૂડમાં જીવડું:અમદાવાદના શાહીબાગની પ્રેમવતીની મોરૈયામાંથી મરેલું જીવડું નીકળ્યું, ગ્રાહકે કહ્યું-તમારી કોઈ વસ્તુ નહીં ભાવે

Team News Updates