News Updates
GUJARAT

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહના મોત થયા, સરકારે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યા આંકડા

Spread the love

વર્ષ 2022માં 117 અને વર્ષ 2023માં 121 સિંહોના મોત થયા છે. તો સિંહોના રક્ષણ માટેની કામગીરીની માહિતી પણ સરકારે ગૃહમાં રજૂ કરી હતી. સિંહોના સંરક્ષણ માટે સરકારે 2022માં રૂ.1150 કરોડનો ખર્ચ કર્યો હતો. તો વર્ષ 2023માં સિંહોના સંરક્ષણ માટે રૂ.1626 કરોડનો ખર્ચ કર્યો છે.

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો. જેમાં આ માહિતી સામે આવી છે. તો છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ 118 સિંહબાળના મોત થયા છે.

વર્ષ પ્રમાણે વિગતવાર માહિતી જોઈએ તો, વર્ષ 2022માં 117 અને વર્ષ 2023માં 121 સિંહોના મોત થયા છે. તો સિંહોના રક્ષણ માટેની કામગીરીની માહિતી પણ સરકારે ગૃહમાં રજૂ કરી હતી. સિંહોના સંરક્ષણ માટે સરકારે 2022માં રૂ.1150 કરોડનો ખર્ચ કર્યો હતો. તો વર્ષ 2023માં સિંહોના સંરક્ષણ માટે રૂ.1626 કરોડનો ખર્ચ કર્યો છે.


Spread the love

Related posts

રાજકોટના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાકાંડ કેસ:સટ્ટાકાંડમાં બે સગા ભાઈઓ નીરવ પોપટ અને મોન્ટુને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા, તેજસ રાજદેવ હજુ પણ ફરાર

Team News Updates

કફોડી સ્થિતિ વચ્ચે લોન કે વ્યાજે નાણાં લઇને પણ માછીમારીનો 1લી તારીખથી પ્રારંભ,શરૂઆતમાં વેરાવળની 50 ટકા જેટલી બોટ ઉતરશે

Team News Updates

કોમર્સ કોલેજ ગોધરા ખાતે પ્રથમ વર્ષ બી કોમના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટશન કાર્યક્રમ યોજાયો

Team News Updates